Moksha Shastra (Gujarati). Sutra: 13-15 (Chapter 4).

< Previous Page   Next Page >


Page 281 of 655
PDF/HTML Page 336 of 710

 

૨૮૦ ] [ મોક્ષશાસ્ત્ર ૧૦ યોજન ઊંચે સૂર્યો છે; સૂર્યોથી ૮૦ યોજન ઊંચે ચંદ્રમાઓ છે; ચંદ્રમાંથી ૪ યોજન ઊંચે ર૭ નક્ષત્રો છે; નક્ષત્રોથી ૪ યોજન ઊંચે બુધનો ગ્રહ, તેનાથી ૩ યોજન ઊંચે શુક્ર, તેનાથી ૩ યોજન ઊંચે બૃહસ્પતિ, તેનાથી ૩ યોજન ઊંચે મંગળ અને તેનાથી ૩ યોજન ઊંચે શનિ છે; એ પ્રમાણે પૃથ્વીથી ઊંચે ૯૦૦ યોજન સુધી જ્યોતિષીમંડળ છે; તેનો આવાસ મધ્યલોકમાં છે. [અહીં ર૦૦૦ કોસનો યોજન ગણવો.] ।। ૧ર।।

જ્યોતિષી દેવોનું વિશેષ વર્ણન
मेरुदक्षिणा नित्यगतयो नृलोके।। १३।।

અર્થઃ– ઉપર કહેલા જ્યોતિષી દેવો મેરુ પર્વતને પ્રદક્ષિણા દઈને મનુષ્યલોકમાં હમેશાં ગમન કરે છે.

(અઢી દ્વીપ અને બે સમુદ્રને મનુષ્યલોક કહેવામાં આવે છે.) ।। ૧૩।।
તેનાથી થતો કાળવિભાગ
तत्कृतः कालविभागः।। १४।।

અર્થઃ– ઘડી, કલાક, દિવસ, રાત, વગેરે વ્યવહારકાળનો વિભાગ તે ગતિશીલ જ્યોતિષી દેવો દ્વારા કરવામાં આવે છે.

ટીકા

કાળ બે પ્રકારના છે -નિશ્ચયકાળ અને વ્યવહારકાળ. નિશ્ચયકાળનું સ્વરૂપ પાંચમા અધ્યાયના રરમા સૂત્રમાં આવશે. આ વ્યવહારકાળ નિશ્ચયકાળને બતાવનારો છે. ।। ૧૪।।

સ્થિર જ્યોતિષી દેવોનું સ્વરૂપ
बहिरवस्थिताः।। १५।।
અર્થઃ– મનુષ્યલોક (અઢી દ્વીપ) ની બહારના જ્યોતિષી દેવો સ્થિર છે.
ટીકા

અઢી દ્વીપની બહાર અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. તેના ઉપરના (એટલે કે છેલ્લા સ્વયંભૂરમણસમુદ્ર પર્યંતના) જ્યોતિષી દેવો સ્થિર છે. ।। ૧પ।।

આ રીતે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી એ ત્રણ પ્રકારના દેવોનું વર્ણન પૂરું થયું. હવે ચોથા પ્રકારના- વૈમાનિક દેવોનું સ્વરૂપ કહે છે.