Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 345 of 655
PDF/HTML Page 400 of 710

 

૩૪૪ ] [ મોક્ષશાસ્ત્ર

અર્થઃ– કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગ-દ્વેષ ભાવ પુદ્ગલની જબરજસ્તીથી થાય છે. ૬૨. વળી તે કહે છે કે પુદ્ગલકર્મરૂપ પરિણમનના ઉદયમાં જેટલું જેટલું જોર કરે છે તેટલી તેટલી બાહુલ્યતાથી રાગ-દ્વેષપરિણામ થાય છે. ૬૩.

અજ્ઞાનીને સત્યમાર્ગનો ઉપદેશ
-દોહરા-
ઇહિ વિધિ જો વિપરીત પખ, ગહૈ સદ્દહૈ કોઈ
સો નર રાગ વિરોધસૌં, કબહૂં ભિન્ન ન હોઈ।। ૬૪।।
સુગુરુ કહૈં જગમૈં રહે, પુગ્ગલ સંગ સદીવ
સહજ શુદ્ધ પરિનમનિકૌ, ઔસર લહૈ ન જીવ।। ૬પ।।
તાતૈં ચિદ્ભાવનિ વિષૈ, સમરથ ચેતન રાઉ
રાગ વિરોધ મિથ્યાતમૈં, સમકિતમૈં સિવભાઉ।। ૬૬।।
(જુઓ, સમયસાર-નાટક પા. ૩પ૩)

અર્થઃ– ઉપર જે રીત કહી તે તો વિપરીત (ઊંધો) પક્ષ છે. જે કોઈ તેને ગ્રહે કે શ્રદ્ધે તે જીવને રાગ, દ્વેષ અને મોહ કદી ભિન્ન થાય જ નહિ. શ્રીગુરુ કહે છે કે જીવને પુદ્ગલનો સંગ સદા (અનાદિનો) રહે, તો પછી સહજ શુદ્ધ પરિણમનનો અવસર જ કદી જીવને મળે જ નહિ. માટે ચૈતન્યના ભાવ કરવામાં ચેતન રાજા જ સમર્થ છે; તે પોતાથી મિથ્યાત્વદશામાં રાગ-દ્વેષરૂપ થાય છે અને સમ્યક્ત્વદશામાં શિવભાવ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થાય છે.

૨. કર્મનો ઉદય જીવને કાંઈ અસર કરી શકતો નથી એટલે કે નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શક્તું નથી. ઇન્દ્રિયોના ભોગો, લક્ષ્મી, સગા-સંબંધી કે મકાનાદિ સંબંધે પણ તે જ નિયમ છે. આ નિયમ શ્રી સમયસાર-નાટકના સર્વવિશુદ્ધદ્વારમાં નીચે પ્રમાણે આપ્યો છે-

-સવૈયા-
કોઉ શિષ્ય કહૈ સ્વામી રાગદોષ પરિનામ,
તાકૌ મૂલ પ્રેરક કહહું તુમ કૌન હૈ
પુગ્ગલ કરમ જોગ કિધૌં ઇન્દ્રિનિકૌ ભોગ,
કિધૌં ધન કિધૌં પરિજન કિધૌં ભૌન હૈ
।।
ગુરુ કહૈ છહૌં દર્વ અપને અપને રૂપ,
સબનિકૌ સદા અસહાઈ પરિનૌન હૈ