Moksha Shastra (Gujarati). Sutra: 16 (Chapter 6).

< Previous Page   Next Page >


Page 423 of 655
PDF/HTML Page 478 of 710

 

૪૨૨ ] [ મોક્ષશાસ્ત્ર

(૮) જીવોને નિરંતર ઘાત કરવાના પરિણામ રાખવા.
(૯) જેમાં બીજા પ્રાણીનો વધ થાય એવાં જૂઠાં વચન બોલવાનો સ્વભાવ

રાખવો,

(૧૦) બીજાઓનું ધન હરણ કરવાનો સ્વભાવ રાખવો,
(૧૧) બીજાની સ્ત્રીઓને આલિંગન કરવાનો સ્વભાવ રાખવો,
(૧ર) મૈથુનસેવનથી વિરક્તિ ન થવી,
(૧૩) અત્યંત આરંભમાં ઇન્દ્રિયોને લગાવી રાખવી,
(૧૪) કામભોગોની અભિલાષાને સદૈવ વધાર્યા કરવી,
(૧પ) શીલ-સદાચારરહિત સ્વભાવ રાખવો,
(૧૬) અભક્ષ્ય ભક્ષણને ગ્રહણ કરવાનો કે કરાવવાનો ભાવ રાખવો,
(૧૭) ઘણા કાળ સુધી વૈર બાંધી રાખવું,
(૧૮) મહાક્રૂર સ્વભાવ રાખવો,
(૧૯) વિચાર્યા વિના રોવા-કૂટવાનો સ્વભાવ રાખવો.
(ર૦) દેવ-ગુરુ-શાસ્ત્રોમાં મિથ્યા દોષ લગાડવા,
(ર૧) કૃષ્ણલેશ્યાના પરિણામ રાખવા,
(રર) રૌદ્રધ્યાનમાં મરણ કરવું.
આ વગેરે લક્ષણવાળા પરિણામ નરકાયુનું કારણ થાય છે.
।। ૧પ।।
તિર્યંચાયુના આસ્રવનું કારણ
माया तैर्यग्योनस्य।। १६।।
અર્થઃ– [माया] માયા-છળકપટ તે [तैर्यक् योनस्य] તિર્યંચાયુના આસ્રવનું

કારણ છે.

ટીકા

આત્માનો કુટિલ સ્વભાવ તે માયા છે; તેનાથી તિર્યંચયોનિનો આસ્રવ થાય છે. તિર્યંચાયુના આસ્રવના કારણનું આ સૂત્રમાં જે વર્ણન કર્યું છે તે સંક્ષેપમાં છે. તે ભાવોનું વિસ્તારથી વર્ણન નીચે પ્રમાણે છે-

(૧) માયાથી મિથ્યાધર્મનો ઉપદેશ દેવો, (ર) બહુ આરંભ-પરિગ્રહમાં કપટમય પરિણામ કરવા,