Moksha Shastra (Gujarati). Sutra: 18 (Chapter 6).

< Previous Page   Next Page >


Page 425 of 655
PDF/HTML Page 480 of 710

 

૪૨૪ ] [ મોક્ષશાસ્ત્ર

(પ) સારાં આચરણોમાં સુખ માનવું, (૬) વેળુની રેખા સમાન ક્રોધનું હોવું. (૭) વિશેષ ગુણી પુરુષોની સાથે વ્યવહારપ્રિય હોવું, (૮) થોડો આરંભ, થોડો પરિગ્રહ રાખવો, (૯) સંતોષ રાખવામાં રુચિ કરવી, (૧૦) પ્રાણીઓના ઘાતથી વિરક્ત થયું, (૧૧) માઠાં કાર્યોથી નિવૃત્તિ હોવી, (૧ર) મનમાં જે વાત હોય તે અનુસાર સરળતાથી બોલવું, (૧૩) વ્યર્થ બકવાદ ન કરવો, (૧૪) પરિણામોમાં મધુરતાનું હોવું, (૧પ) સર્વે લોકો પ્રત્યે ઉપકારબુદ્ધિ રાખવી, (૧૬) પરિણામોમાં વૈરાગ્યવૃત્તિ રાખવી, (૧૭) કોઈ પ્રત્યે ઈર્ષાભાવ ન રાખવો, (૧૮) દાન દેવાનો સ્વભાવ રાખવો, (૧૯) કાપોત તથા પીત લેશ્યા સહિત હોવું, (ર૦) ધર્મધ્યાનમાં મરણ થવું, -આ વગેરે લક્ષણવાળા પરિણામો મનુષ્યાયુના આસ્રવનાં કારણો છે. પ્રશ્નઃ– મિથ્યાદર્શનસહિત જેની બુદ્ધિ હોય તેને મનુષ્યાયુનો આસ્રવ કેમ કહ્યો? ઉત્તરઃ– મનુષ્ય, તિર્યંચને સમ્યક્ત્વપરિણામ થતાં તે કલ્પવાસીદેવનું આયુ બાંધે છે, મનુષ્યાયુનો બંધ તેઓ કરતા નથી, એટલું બતાવવા માટે ઉપર પ્રમાણે કહ્યું છે. ।। ૧૭।।

મનુષ્યઆયુના આસ્રવનું કારણ (ચાલુ)
स्वभावमार्दवं च।। १८।।

અર્થઃ– [स्वभावमार्दवं] સ્વભાવથી જ સરળ પરિણામી હોવું [च] તે પણ મનુષ્યના આયુના આસ્રવનું કારણ છે.