૪૭૨ ] [ મોક્ષશાસ્ત્ર
અણગાર (ગૃહત્યાગી ભાવમુનિ)-એ પ્રમાણે વ્રતીના બે ભેદ છે.
નોંધઃ– મહાવ્રતોને પાળનારા મુનિ અણગારી કહેવાય છે અને દેશવ્રતને પાળનારા શ્રાવક સાગારી કહેવાય છે. ।। ૧૯।।
અર્થઃ– [अणुव्रतः] અણુવ્રત અર્થાત્ એકદેશવ્રત પાળનારા સમ્યગ્દ્રષ્ટિ જીવ [अगारी] સાગાર કહેવાય છે.
અહીંથી અણુવ્રતધારીઓનું વિશેષ વર્ણન શરૂ થાય છે, અને આ અધ્યાય પૂરો થતાં સુધી તે જ વર્ણન છે. અણુવ્રતના પાંચ ભેદ છે. ૧. અહિંસા અણુવ્રત ર. સત્ય અણુવ્રત ૩. અચૌર્ય અણુવ્રત ૪ બ્રહ્મચર્ય અને પ. પરિગ્રહ પરિમાણ અણુવ્રત. ।। ૨૦।।
અર્થઃ– [च] વળી તે વ્રતી [दिग् देश अनर्थदंडविरतिः] દિગ્વ્રત દેશવ્રત તથા અનર્થદંડવ્રત એ ત્રણ ગુણવ્રત અને [सामायिक प्रौषधोपवास उपभोगपरिभोगपरिमाण अतिथिसंविभागव्रत] સામાયિક, પ્રૌષધ ઉપવાસ, ઉપભોગ- પરિભોગનું પરિમાણ (-મર્યાદા) તથા અતિથિસંવિભાગ વ્રત-એ ચાર શિક્ષાવ્રત [संपन्नः] સહિત હોય છે અર્થાત્ વ્રતધારી શ્રાવક પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ રીતે બાર વ્રતો સહિત હોય છે.
૧. પૂર્વે ૧૩ થી ૧૭ સુધીના સૂત્રોમાં હિંસાદિ પાંચ પાપોનું જે વર્ણન કર્યું છે તેમનો એકદેશ ત્યાગ તે પાંચ અણુવ્રત છે. અણુવ્રતોને જે પુષ્ટિ કરે તે ગુણવ્રત છે અને જેનાથી મુનિવ્રત પાલન કરવાનો અભ્યાસ થાય તે શિક્ષાવ્રત છે.