Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 473 of 655
PDF/HTML Page 528 of 710

 

અ. ૭ સૂત્ર ૨૧ ] [ ૪૭૩

ર. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. -
દિગ્વ્રતઃ– મરણપર્યંત સૂક્ષ્મ પાપોની નિવૃત્તિને માટે દશે દિશાઓમાં આવવા-
જવાની મર્યાદા કરવી તે દિગ્વ્રત છે.
દેશવ્રતઃ– જીવનપર્યંત લીધેલા દિગ્વ્રતની મર્યાદામાંથી પણ વધારે સંકોચ કરીને
ઘડી, કલાક, માસ, વર્ષ વગેરે વખત સુધી અમુક ઘર, શેરી વગેરે
સુધી જવા-આવવાની મર્યાદા કરવી તે દેશવ્રત છે.
અનર્થદંડવ્રતઃ– પ્રયોજનરહિત પાપવર્દ્ધક ક્રિયાનો ત્યાગ કરવો તે અનર્થદંડવ્રત છે;
અનર્થદંડના પાંચ ભેદ છે. ૧. પાપોપદેશ (હિંસાદિ પાપારંભનો ઉપદેશ
કરવો તે); ર. હિંસાદાન (તલવાર વગેરે હિંસાના ઉપકરણો આપવા
તે); ૩. અપધ્યાન (બીજુનું બૂરું વિચારવું તે); ૪. દુઃશ્રુતિ (રાગ-
દ્વેષને વધારનારાં ખોટાં શાસ્ત્રોનું શ્રવણ કરવું તે) અને પ. પ્રમાદચર્યા
(પ્રયોજન વગર જ્યાં-ત્યાં જવું તથા પૃથ્વી વગેરે ખોદવું તે).

શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી વગેરેનું કોઈપણ વખતે ચિંતવન કરવું નહિ, કેમ કે તે માઠાં ધ્યાનોનું ફળ પાપ જ છે.

-આ ત્રણ ગુણવ્રત છે. સામાયિકઃ– મન, વચન, કાયા વડે કૃત કારિત અનુમોદનાથી હિંસાદિ પાંચ

પાપોનો ત્યાગ કરવો તે સામાયિક છે; આ સામાયિક શુભભાવરૂપ છે.
(સામાયિકચારિત્રનું સ્વરૂપ નવમા અધ્યાયમાં આપવામાં આવશે.)

પૌષધોપવાસઃ– પહેલા અને પછીના દિવસે એકાશનપૂર્વક આઠમ અને ચૌદશ

આદિ દિવસે ઉપવાસાદિ કરી, એકાંતવાસમાં રહી, સંપૂર્ણ
સાવદ્યયોગને છોડી, સર્વ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ
ધર્મધ્યાનમાં રહેવું તે પ્રૌષધોપવાસ છે.

ઉપભોગપરિભોગપરિમાણવ્રતઃ– શ્રાવકોને ભોગનાં નિમિત્તથી હિંસા થાય

છે. ભોગ અને ઉપભોગની વસ્તુઓનું માપ કરી (મર્યાદા બાંધી)
પોતાની શક્તિ અનુસાર ભોગઉપભોગને છોડવા તે
ઉપભોગપરિભોગપરિમાણવ્રત છે.

અતિથિસંવિભાગવ્રતઃ– અતિથિ અર્થાત્ મુનિ વગેરેને માટે આહાર, કમંડળ,

પીંછી, વસતિકા આદિનું દાન દેવું તે અતિથિસંવિભાગવ્રત છે.
-આ ચાર શિક્ષાવ્રત છે.