Moksha Shastra (Gujarati). Sutra: 33-35 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 481 of 655
PDF/HTML Page 536 of 710

 

અ. ૭ સૂત્ર ૩૩-૩૪-૩પ ] [ ૪૮૧

સામાયિક–શિક્ષાવ્રતના પાંચ અતિચાર

योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थानानि।। ३३।।

અર્થઃ– [मन वचन काय) योग दुष्प्रणिधान] મન સંબંધી પરિણામોની

અન્યથા પ્રવૃત્તિ કરવી, વચન સંબંધી પરિણામોની અન્યથા પ્રવૃત્તિ કરવી, કાયા સંબંધી પરિણામોની અન્યથા પ્રવૃત્તિ કરવી, [अनादर] સામાયિક પ્રત્યે ઉત્સાહરહિત થવું અને [स्मृति अनुपस्थानानि] એકાગ્રતાના અભાવને લીધે સામાયિકના પાઠ વગેરે ભૂલી જવા-એ પાંચ સામાયિક-શિક્ષાવ્રતના અતિચારો છે.

નોંધઃ– સૂત્રમાં ‘योगदुष्प्रणिधान’ શબ્દ છે તેને મન, વચન અને કાયા એ ત્રણેમાં લાગુ

પાડીને તે ત્રણ પ્રકારને ત્રણ અતિચાર ગણવામાં આવ્યા છે.

પ્રૌષધ ઉપવાસ–શિક્ષાવ્રતના પાંચ અતિચાર
अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादानसंस्तरोपक्रमणानादर–
स्मृत्यनुपस्थानानि।। ३४।।
અર્થઃ– [अप्रत्यवेक्षित अप्रमार्जित] જોયા વિનાની અને શોધ્યા વિનાની

જમીનમાં [उत्सर्ग] મળ-મૂત્રાદિનું ક્ષેપણ કરવું, [आदान] પૂજન વગેરેનાં ઉપકરણો લેવાં, [संस्तर उपक्रमण] વસ્ત્ર, ચટાઈ વગેરે બિછાવવી, [अनादर] ભૂખ વગેરેથી વ્યાકુળ થઈ આવશ્યક ધર્મકાર્યો ઉત્સાહરહિત થઈને કરવાં અને [स्मृति अनुपस्थानानि] આવશ્યક ધર્મકાર્યો ભૂલી જવાં-એ પાંચ પ્રૌષધોપવાસ- શિક્ષાવ્રતના અતિચારો છે. ।। ૩૪।।

ઉપભોગપરિભોગપરિણામ–શિક્ષાવ્રતના પાંચ અતિચાર

सचित्तसंबंधसंमिश्राभिषवदुःपक्काहाराः।। ३५।।

અર્થઃ– [सचित्त] સચિત્ત-જીવવાળાં (કાચાં ફળ વગેરે) પદાર્થો [संबंध]

સચિત્ત પદાર્થની સાથે સંબંધવાળા પદાર્થો, [संमिश्र] સચિત્ત પદાર્થની સાથે મળેલા પદાર્થો, [अभिषव] ગરિષ્ટ પદાર્થો અને [दुःपक्व] દુઃપક્વ અર્થાત્ અર્ધ પાકેલ કે માઠી રીતે પાકેલ પદાર્થો-[आहाराः] તેમનો આહાર કરવો-એ પાંચ ઉપભોગ પરિભોગ શિક્ષાવ્રતના અતિચારો છે.