અ. ૭ સૂત્ર ૩૩-૩૪-૩પ ] [ ૪૮૧
योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थानानि।। ३३।।
અન્યથા પ્રવૃત્તિ કરવી, વચન સંબંધી પરિણામોની અન્યથા પ્રવૃત્તિ કરવી, કાયા સંબંધી પરિણામોની અન્યથા પ્રવૃત્તિ કરવી, [अनादर] સામાયિક પ્રત્યે ઉત્સાહરહિત થવું અને [स्मृति अनुपस्थानानि] એકાગ્રતાના અભાવને લીધે સામાયિકના પાઠ વગેરે ભૂલી જવા-એ પાંચ સામાયિક-શિક્ષાવ્રતના અતિચારો છે.
પાડીને તે ત્રણ પ્રકારને ત્રણ અતિચાર ગણવામાં આવ્યા છે.
જમીનમાં [उत्सर्ग] મળ-મૂત્રાદિનું ક્ષેપણ કરવું, [आदान] પૂજન વગેરેનાં ઉપકરણો લેવાં, [संस्तर उपक्रमण] વસ્ત્ર, ચટાઈ વગેરે બિછાવવી, [अनादर] ભૂખ વગેરેથી વ્યાકુળ થઈ આવશ્યક ધર્મકાર્યો ઉત્સાહરહિત થઈને કરવાં અને [स्मृति अनुपस्थानानि] આવશ્યક ધર્મકાર્યો ભૂલી જવાં-એ પાંચ પ્રૌષધોપવાસ- શિક્ષાવ્રતના અતિચારો છે. ।। ૩૪।।
सचित्तसंबंधसंमिश्राभिषवदुःपक्काहाराः।। ३५।।
સચિત્ત પદાર્થની સાથે સંબંધવાળા પદાર્થો, [संमिश्र] સચિત્ત પદાર્થની સાથે મળેલા પદાર્થો, [अभिषव] ગરિષ્ટ પદાર્થો અને [दुःपक्व] દુઃપક્વ અર્થાત્ અર્ધ પાકેલ કે માઠી રીતે પાકેલ પદાર્થો-[आहाराः] તેમનો આહાર કરવો-એ પાંચ ઉપભોગ પરિભોગ શિક્ષાવ્રતના અતિચારો છે.