Moksha Shastra (Gujarati). Sutra: 36-38 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 482 of 655
PDF/HTML Page 537 of 710

 

૪૮૨ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

ભોગ–જે વસ્તુ એક જ વખત વપરાય તે ભોગ, જેમ કે અન્ન; તેને પરિભોગ પણ કહેવાય છે.

ઉપભોગ–જે વસ્તુ વારંવાર વપરાય તે ઉપભોગ, જેમકે વસ્ત્ર વગેરે. ।। ૩પ।।

અતિથિસંવિભાગ–શિક્ષાવ્રતના પાંચ અતિચાર
सचित्तनिक्षेपापिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः।। ३६।।

અર્થઃ– [सचित्तनिक्षेप] પત્ર-પાન વગેરે સચિત્ત વસ્તુમાં રાખીને ભોજન દેવું, [अपिधान] સચિત્ત વસ્તુથી ઢાંકેલ ભોજન દેવું, [परव्यपदेश] બીજા દાતારની વસ્તુને દેવી, [मात्सर्य] અનાદરપૂર્વક દેવું અથવા બીજા દાતારની ઈર્ષાપૂર્વક દેવું અને [कालातिक्रमाः] યોગ્યકાળનું ઉલ્લંઘન કરીને દેવું-એ પાંચ અતિથિસંવિભાગ- શિક્ષાવ્રતના અતિચારો છે.

આ રીતે ચાર શિક્ષાવ્રતના અતિચારો કહ્યા. ।। ૩૬।।

સલ્લેખનાના પાંચ અતિચાર
जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानानि।। ३७।।

અર્થઃ– સલ્લેખના ધારણ કર્યા પછી [जीवितमरणआशंसा] જીવવાની ઇચ્છા કરવી કે વેદનાથી વ્યાકુળ થઈને શીઘ્ર મરવાની ઇચ્છા કરવી, [मित्रानुराग] અનુરાગ વડે મિત્રોનું સ્મરણ કરવું, [सुखानुबंध] પૂર્વે ભોગવેલા સુખોનું સ્મરણ કરવું અને [निदानानि] નિદાન કરવું એટલે કે ભવિષ્યમાં વિષયો મળે એવી ઇચ્છા કરવી-એ પાંચ સલ્લેખના વ્રતના અતિચારો છે.

આ પ્રમાણે શ્રાવકના અતિચારોનું વર્ણન પૂરું થયું. ઉપર કહ્યા પ્રમાણે સમ્યગ્દર્શનના પ, બાર વ્રતના ૬૦ અને સલ્લેખનાના પ એ રીતે કુલ ૭૦ અતિચારોનો જે ત્યાગ કરે તે જ નિર્દોષ વ્રતી છે. ।। ૩૭।।

દાનનું સ્વરૂપ
अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम्।। ३८।।

અર્થઃ– [अनुग्रहअर्थं] અનુગ્રહના હેતુથી [स्वस्य अतिसर्गः] ધન વગેરે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે [दानम्] દાન છે.