Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 489 of 655
PDF/HTML Page 544 of 710

 

અ. ૭ સૂત્ર ઉપસંહાર ] [ ૪૮૯ જીવો પણ મોટે ભાગે શુભભાવને ધર્મ અગર તો ધર્મનો સહાયક માને છે-તે માન્યતા ખરી નથી. શુભભાવ તે ધર્મનું કારણ નથી પણ કર્મબંધનું કારણ છે એ વાત છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં કરી છે, તેની ટૂંક નોંધ નીચે પ્રમાણે છે-

૧.શુભભાવ પુણ્યનો આસ્રવ છે.અ. ૬. સૂ. ૩
ર.સમ્યક્ત્વક્રિયા, ઈર્યાપથ સમિતિઅ. ૬. સૂ. પ
૩.મંદ કષાય તે આસ્રવ છે.અ. ૬. સૂ. ૬
૪.સર્વ પ્રાણીઓ અને વ્રતધારી પ્રત્યે અનુકંપાઅ. ૬. સૂ. ૧૮
પ.માર્દવઅ. ૬. સૂ. ૧૮
૬.સરાગસંયમ, સંયમાસંયમ.અ. ૬. સૂ. ૨૦
૭.યોગોની સરળતા.અ. ૬. સૂ. ૨૩
૮.તીર્થંકરકર્મબંધના કારણરૂપ સોળ ભાવના.અ. ૬. સૂ. ૨૪
૯.પર પ્રશંસા, આત્મનિંદા, નમ્રવૃત્તિ, મદનો અભાવ.અ. ૬. સૂ. ૨૬
૧૦. મહાવ્રત, અણુવ્રત.અ. ૭. સૂ. ૧ થી ૮ તથા ૨૧
૧૧. મૈત્રી વગેરે ચાર ભાવનાઓ.અ. ૭. સૂ. ૧૧
૧ર. જગત્ અને કાયના સ્વભાવનો વિચાર.અ. ૭. સૂ. ૧૨
૧૩. સલ્લેખના.અ. ૭. સૂ. ૨૨
૧૪. દાન.અ. ૭. સૂ. ૩૮-૩૯

ઉપર કહેલા બધા બોલોને આસ્રવ તરીકે વર્ણવ્યા છે. એ રીતે છઠ્ઠા અને સાતમા અધિકારમાં આસ્રવનું વર્ણન પૂરું કરીને હવે આઠમા અધિકારમાં બંધનું વર્ણન કહેવામાં આવશે.

૭. હિંસા, જુઠ્ઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહનો ત્યાગ તે વ્રત છે-એમ શ્રી અમૃતચંદ્રાચાર્યે તત્ત્વાર્થસારના ચોથા અધ્યાયની ૧૦૧ મી ગાથામાં કહ્યું છે. એટલે કે વ્રત પુણ્યાસ્રવ છે એમ જણાવ્યું છે. ગાથા ૧૦૩ માં કહ્યું કે-સંસારમાર્ગમાં પુણ્ય અને પાપ વચ્ચે ભેદ છે; પણ ત્યારપછી ગાથા ૧૦૪ માં સ્પષ્ટપણે જણાવ્યું કે-મોક્ષમાર્ગમાં પુણ્ય અને પાપ વચ્ચે ભેદ (વિશેષ, જુદાપણું) નથી. કેમકે તે બન્ને સંસારનું કારણ છે-આ પ્રમાણે જણાવીને આસ્રવ અધિકાર પૂરો કર્યો છે.

૮. પ્રશ્નઃ– વ્રત તો ત્યાગ છે, જો ત્યાગને પુણ્યાસ્રવ કહેશો પણ ધર્મ નહિ કહો તો ત્યાગનો ત્યાગ તે ધર્મ કેમ થઈ શકે?