Moksha Shastra (Gujarati). Sutra: 10-11 (Chapter 8).

< Previous Page   Next Page >


Page 511 of 655
PDF/HTML Page 566 of 710

 

અ. ૮ સૂત્ર ૧૦-૧૧ ] [ પ૧૧

આયુકર્મના ચાર ભેદ
नारकतैर्यग्योनमानुषदैवानि।। १०।।
અર્થઃ– [नारकतैर्यग्योन] નરકાયુ, તિર્યંચાયુ, [मानुष देवानि] મનુષ્યાયુ

અને દેવાયુ- એ ચાર ભેદ આયુકર્મના છે. ।। ૧૦।।

નામ કર્મના બેંતાલીસ ભેદ

૪ પ પ ૩ ૨ પ પ ૬ ૬ ૮ પ गतिजातिशरीरांगोपांगनिर्माणबंधनसंघातसंस्थानसंहननस्पर्शरस– ૨ પ ૪ गंधवर्णानुपूर्व्यागुरुलधूपघातपरघातातपोधोतोच्छ्वास–

विहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभसूक्ष्म– पर्याप्तिस्थिरादेययशः कीर्तिसेतराणि तीर्थकरत्वं च।। ११।।

અર્થઃ– [गति जाति शरीर अंगोपांग निर्माण] ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, [बंधन संघात संस्थान संहनन] બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, [स्पर्श रस गंध वर्ण] સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, [आनुपूर्व्य अगुरुलघु उपघात परघात] આનુપૂર્વ્ય, અગુરુલઘુ, ઉપઘાત, પરઘાત, [आतप उद्योत उच्छ्वास विहायोगतयः] આતપ, ઉદ્યોત, ઉચ્છ્વાસ અને વિહાયોગતિ-એ એકવીસ, તથા [प्रत्येकशरीर त्रस सुभग सुस्वर शुभ सूक्ष्म पर्याप्ति स्थिर आदेय यशःकीर्ति] પ્રત્યેક શરીર, ત્રસ, સુભગ, સુસ્વર, શુભ, સૂક્ષ્મ, પર્યાપ્તિ, સ્થિર, આદેય અને યશઃકીર્તિ એ દસ તથા [स इतराणि] તેમનાથી ઉલટા દસ અર્થાત્ સાધારણ શરીર, સ્થાવર દુર્ભગ, દુસ્વર, અશુભ, બાદર (-સ્થુળ), અપર્યાપ્ત, અસ્થિર, અનાદેય અને અયશઃકીર્તિ-એ દસ, [तीर्थकरत्वं च] અને તીર્થંકરત્વ-એ રીતે કુલ બેંતાલીસ ભેદ નામકર્મના છે.

ટીકા

સૂત્રના જે શબ્દ ઉપર જે આંકડો લખેલ છે તે, તે શબ્દના તેટલા પેટા ભેદ છે-એમ સૂચવે છે; ઉદા

ગતિ શબ્દ ઉપર ચારનો આંકડો છે તે એમ સૂચવે છે; કે

ગતિના ચાર પેટા ભેદ છે. ગતિ વગેરેના પેટા ભેદ સહિત ગણવામાં આવેતો નામ કર્મના કુલ ૯૩ ભેદ થાય છે.

આ સૂત્રમાં આવેલા શબ્દોના અર્થ શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકામાંથી જોઈ લેવા. ।। ૧૧।।