અ. ૮ સૂત્ર ૧૬-૧૭-૧૮-૧૯-૨૦-૨૧ ] [ પ૧૩
નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
विंशतिर्नामगोत्रयोः।। १६।।
અર્થઃ– [नामगोत्रयोः] નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [विंशतिः] વીસ
ક્રોડાક્રોડી સાગરોપમ છે. ।। ૧૬।।
આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुषः।। १७।।
અર્થઃ– [आयुषः] આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [त्रयस्त्रिंशत् सागरोपमाणि]
તેત્રીસ સાગરોપમ છે. ।। ૧૭।।
વેદનીયકર્મની જઘન્યસ્થિતિ
अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य।। १८।।
અર્થઃ– [वेदनीयस्य अपरा] વેદનીયકર્મની જઘન્યસ્થિતિ [द्वादशमुहूर्ता] બાર
મુહૂર્ત છે. ।। ૧૮।।
નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ
नामगोत्रयोरष्टौ।। १९।।
અર્થઃ– [नामगोत्रयोः] નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ [अष्ठौ] આઠ
મુહૂર્તની છે. ।। ૧૯।।
બાકીનાં જ્ઞાનાવરણાદિ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ
शेषाणामंतर्मुहूर्ता।। २०।।
અર્થઃ– [शेषाणाम्] બાકીનાં એટલે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય,
અંતરાય અને આયુ-એ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ [अंतर्मुहूर्ता] અંતર્મુહૂર્ત છે.
સ્થિતિબંધના પેટાભેદનું વર્ણન અહીં પુરું થયું. ।। ૨૦।।
હવે અનુભાગબંધનું વર્ણન કરે છે (અનુભાગબંધને અનુભવબંધ પણ કહેવાય છે) -
અનુભવબંધનું લક્ષણ
विपाकोऽनुभवः।। २१।।
અર્થઃ– [विपाकः] વિવિધ પ્રકારનો પાક [अनुभवः] તે અનુભવ છે.