Moksha Shastra (Gujarati). Sutra: 11 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 555 of 655
PDF/HTML Page 610 of 710

 

પપ૬] [ મોક્ષશાસ્ત્ર

૩. પ્રશ્નઃ– અગીઆરમા અને બારમા ગુણસ્થાને મોહકર્મના ઉદયનો અભાવ છે તથા દસમા ગુણસ્થાને તે અતિ સૂક્ષ્મ છે તેથી તે જીવોને ક્ષુધા, તૃષાદિ ચૌદે પ્રકારની વેદના હોતી નથી, તો પછી એ ગુણસ્થાનોમાં પરિષહ વિદ્યમાન છે એમ કેમ કહ્યું?

ઉત્તરઃ– ત્યાં વેદના નથી એ તો ખરું છે, પણ સામર્થ્ય (શક્તિ) અપેક્ષાએ ત્યાં ચૌદ પરિષહોનું વિદ્યમાનપણું કહેવું તે યુક્ત છે. જેમ સર્વાર્થસિદ્ધિ વિમાનના દેવોને સાતમી નરકમાં જવાનું સામર્થ્ય છે, પણ તે દેવોને ત્યાં જવાનું પંયોજન નથી તેમ જ તેવો રાગભાવ નથી તેથી ગમન નથી; તેમ દસ, અગિયાર અને બારમા ગુણસ્થાનોમાં ચૌદે પરિષહનું કથન ઉપચારથી કહ્યું છે.

પ્રશ્નઃ– આ સૂત્રમાં નય વિભાગ કઈ રીતે લાગુ પડે છે? ઉત્તરઃ– નિશ્ચયનયે કોઈ પણ પરિષહ દસ, અગીયાર કે બારમા ગુણસ્થાને નથી, પણ વ્યવહારનયે ત્યાં ચૌદ પરિષહ છે; વ્યવહારનયે છે એટલે કે ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ તે ઉપચાર કર્યો છે- એમ સમજવું. એ પ્રમાણે જાણવાથી જ બન્ને નયોનું ગ્રહણ થાય છે પણ બન્ને નયોના જ્ઞાનને સમાન સત્યાર્થ જાણી ‘આ પ્રમાણે પણ છે અને આ પ્રમાણે પણ છે’ અર્થાત્ ત્યાં પરિષહો છે એ પણ ખરું અને નથી એ પણ ખરું એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયોનું ગ્રહણ થતું નથી (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. રપ૬). સારાંશ એ છે કે, તે ગુણસ્થાનોએ ખરેખર કોઈ પણ પરિષહ હોતા નથી, માત્ર તે ચૌદ પ્રકારના વેદનીય કર્મના મંદ ઉદય છે એટલું બતાવવા માટે ઉપચારથી ત્યાં પરિષહ કહ્યા છે. પણ જીવ ત્યાં તે ઉદયથી જોડાઈ દુઃખી થાય છે અથવા તેને વેદના થાય છે એમ માનવું તે અસત્ય છે. ।। ૧૦।।

તેરમા ગુણસ્થાનના પરિષહો
एकादशजिने।। ११।।

અર્થઃ– [जिने] તેરમા ગુણસ્થાને જિનેન્દ્રદેવને [एकादश] ઉપર લખેલી ચૌદમાંથી અલાભ, પ્રજ્ઞા અને અજ્ઞાન એ ત્રણ છોડીને બાકીના અગીયાર પરિષહો હોય છે.

ટીકા

જો કે મોહનીયકર્મનો ઉદય નહિ હોવાથી ભગવાનને ક્ષુધાદિકની વેદના હોતી નથી, તેથી તેમને પરિષહો પણ હોતા નથી; તોપણ તે પરિષહોના નિમિત્તકારણરૂપ વેદનીયકર્મનો ઉદય વર્તતો હોવાથી ત્યાં પણ ઉપચારથી અગીઆર પરિષહો કહ્યા છે. ખરેખર તેમને એક પણ પરિષહ નથી.