Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 556 of 655
PDF/HTML Page 611 of 710

 

અ. ૯ સૂત્ર ૧૧ ] [ પપ૭

૨. પ્રશ્નઃ– મોહકર્મના ઉદયની સહાયતાના અભાવે ભગવાનને ક્ષુધા વગેરેની વેદના નથી, છતાં અહીં તે પરિષહ કેમ કહ્યા છે?

ઉત્તરઃ– ભગવાનને ક્ષુધાદિ વેદના નથી એ તો ખરું છે, પણ મોહકર્મજનિત વેદના ન હોવા છતાં દ્રવ્યકર્મનું વિદ્યમાનપણું બતાવવા માટે ત્યાં ઉપચારથી પરિષહ કહેવામાં આવ્યા છે. જેમ સમસ્ત જ્ઞાનાવરણ નષ્ટ થવાથી યુગપત્ સમસ્ત વસ્તુઓને જાણવાવાળા કેવળજ્ઞાનના પ્રભાવથી તેમને ચિંતા નિરોધરૂપ ધ્યાનનો અસંભવ હોવા છતાં, ધ્યાનનું ફળ જે શેષ કર્મોની નિર્જરા તેનું વિદ્યમાનપણું બતાવવા માટે ત્યાં ઉપચારથી ધ્યાન જણાવ્યું છે, તેમ ત્યાં આ પરિષહો પણ ઉપચારથી જણાવ્યા છે.

૨. પ્રશ્નઃ– આ સૂત્રમાં નયવિભાગ કઈ રીતે લાગુ પડે છે? ઉત્તરઃ– તેરમા ગુણસ્થાને અગીયાર પરિષહ કહેવા તે વ્યવહારનય છે. વ્યવહારનયનો અર્થ કરવાની રીત એ છે કે-‘ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ તે ઉપચાર કર્યો છે.’ નિશ્ચય નયે કેવળી ભગવાનને તેરમા ગુણસ્થાને પરિષહ હોતા નથી.

પ્રશ્નઃ– વ્યવહારનયનું દ્રષ્ટાંત શું છે અને તે અહીં કઈ રીતે લાગુ પડે છે? ઉત્તરઃ– ‘ઘીનો ઘડો’ એ વ્યવહારનયનું કથન છે, તેનો અર્થ એવો છે કે ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી’ (જુઓ, શ્રી સમયસાર, ગાથા ૬૭ તથા કળશ ૪૦. પા. ૯૬-૯૭); તેમ ‘જિનને અગીયાર પરિષહો છે’ એ વ્યવહારનયનું કથન છે, તેનો અર્થ એવો છે કે ‘જિન અનંત પુરુષાર્થમય છે, પરિષહના દુઃખમય નથી;’ નિમિત્તરૂપ પરદ્રવ્યની હાજરીનું જ્ઞાન કરાવવા માટે ‘પરિષહ છે’ એમ કથન કર્યું છે પરંતુ વીતરાગને દુઃખ કે વેદના છે એમ તે કથનથી સમજવું નહિ. જો વીતરાગને દુઃખ કે વેદના છે એવો તે કથનનો અર્થ માનવામાં આવે તો, વ્યવહારનયના કથનનો અર્થ નિશ્ચયનયના કથન મુજબ જ કર્યો, અને તેવો અર્થ કરવો તે મહાન ભ્રમણા છે- અજ્ઞાન છે. (જુઓ, શ્રી સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ પા. ૩૯૨ થી ૩૯પ)

પ્રશ્નઃ– આ શાસ્ત્રમાં, આ સૂત્રમાં ‘જિનને અગીઆર પરિષહ છે’ એવું કથન કર્યું તે વ્યવહારનયનું કથન નિમિત્ત બતાવવા માટે છે-એમ કહ્યું, તો આ સંબંધી નિશ્ચયનયનું કથન કયા શાસ્ત્રમાં છે?

ઉત્તરઃ– શ્રી નિયમસાર ગાથા ૬. પા. ૯ માં કહ્યું છે કે વીતરાગ ભગવાન તેરમા ગુણસ્થાને હોય ત્યારે તેમને અઢાર મહાદોષો હોતા નથી. તે દોષો આ પ્રમાણે છે- ૧. ક્ષુધા, ૨. તૃષા, ૩. ભય, ૪. ક્રોધ, પ. રાગ, ૬. મોહ, ૭. ચિંતા, ૮. જરા, ૯. રોગ,