Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 558 of 655
PDF/HTML Page 613 of 710

 

અ. ૯ સૂત્ર ૧૧ ] [ પપ૯ છે તેથી તેમને ક્ષુધાનો સદ્ભાવ સંભવે છે, અને આહાર વિના તે ક્ષુધા ઉપશાંત કેવી રીતે થાય? માટે તેમને આહારાદિક પણ માનવા જોઈએ. તેનું સમાધાન- કર્મપ્રકૃતિઓનો ઉદય મંદ-તીવ્ર ભેદસહિત હોય છે. તે અતિ મંદ થતાં તેના ઉદયજનિત કાર્યની વ્યક્તતા ભાસતી નથી; તેથી મુખ્યપણે તેનો અભાવ કહેવામાં આવે છે, પણ તારતમ્યપણે તેનો સદ્ભાવ કહેવામાં આવે છે. જેમ નવમા ગુણસ્થાનમાં વેદાદિકનો મંદ ઉદય છે; ત્યાં મૈથુનાદિક ક્રિયા વ્યક્ત નથી, તેથી ત્યાં બ્રદ્મચર્ય જ કહ્યું છે છતાં પણ તારતમ્યતાથી ત્યાં મૈથુનાદિકનો સદ્ભાવ કહેવાય છે. તેમ કેવળીભગવાને અસાતાનો ઉદય અતિ મંદ છે, તેના ઉદયમાં એવી ક્ષુધા નથી કે જે શરીરને ક્ષીણ કરે; વળી મોહના અભાવથી ક્ષુધાજનિત દુઃખ પણ નથી અને તેથી આહાર લેવાપણું નથી. માટે કેવળીભગવાનને ક્ષુધાદિકનો અભાવ છે પણ ઉદય અપેક્ષાએ તારતમ્યતાથી તેનો સદ્ભાવ કહેવામાં આવે છે.

(૪) ‘આહારાદિક વિના ક્ષુધાની ઉપશાંતતા કેવળી ભગવાનને કેવી રીતે થાય?’ એ શંકાનું સમાધાન એમ છે કે-કેવળીને અસાતાનો ઉદય અત્યંત મંદ છે; જો આહારાદિક વડે જ ઉપશાંત થાય એવી ક્ષુધા લાગે તો મંદ ઉદય ક્યાં રહ્યો? દેવો, ભોગભૂમિયા વગેરેને અસાતાનો કિચિંત્ મંદ ઉદય થતાં પણ તેમને ઘણા કાળ પછી કિંચિત્ જ આહાર ગ્રહણ હોય છે, તો પછી કેવળીને તો અસાતાનો ઉદય ઘણો જ મંદ છે તેથી તેમને આહારનો અભાવ જ છે. અસાતાનો તીવ્ર ઉદય હોય અને મોહ વડે તેમાં જોડાણ હોય તો જ આહાર હોઈ શકે.

(પ) શંકાઃ– દેવો તથા ભોગભૂમિયાનું તો શરીર જ એવું છે કે તેને ઘણાકાળ પછી થોડી ભૂખ લાગે, પણ કેવળી ભગવાનનું શરીર તો કર્મભૂમિનું ઔદારિક છે, તેથી તેમનું શરીર આહાર વિના ઉત્કૃષ્ટપણે દેશેન્યૂન ક્રોડપૂર્વ સુધી કેવી રીતે રહી શકે?

સમાધાનઃ– દેવાદિકનું શરીર પણ કર્મના જ નિમિત્તથી છે. અહીં કેવળીભગવાનને શરીરમાં પહેલા કેશ-નખ વધતા હતા, છાયા થતી હતી અને નિગોદ જીવો થતા હતા, પણ કેવળજ્ઞાન થતાં હવે કેશ-નખ વધતા નથી, છાયા થતી નથી અને નિગોદ જીવો થતા નથી. આ રીતે ઘણા પ્રકારથી શરીરની અવસ્થા અન્યથા થઈ, તેમ આહાર વગર પણ શરીર જેવું ને તેવું ટકી રહે-એવી અવસ્થા પણ થઈ.

પ્રત્યક્ષ જુઓ! અન્ય જીવોને ઘડપણ વ્યાપતાં શરીર શિથિલ થઈ જાય છે પરંતુ કેવળીભગવાનને તો આયુના અંત સુધી પણ શરીર શિથિલ થતું નથી. તેથી અન્ય મનુષ્યોના શરીરને કેવળી ભગવાનના શરીરને સમાનતા સંભવતી નથી.