Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 570 of 655
PDF/HTML Page 625 of 710

 

અ. ૯ સૂત્ર ૧૯ ] [ પ૭૧ અવમૌદર્ય, સમ્યક્ વૃત્તિપરિસંખ્યાન, [रसपरित्याग विविक्तशय्यासन कायकलेशाः] સમ્યક્ રસપરિત્યાગ, સમ્યક્ વિવિક્ત શય્યાસન અને સમ્યક્ કાયકલેશ [बाह्यं तपः] એ છ પ્રકારના બાહ્ય તપ છે.

નોંધઃ– આ સૂત્રમાં ‘સમ્યક્’ શબ્દનું અનુસંધાન આ અધ્યાયના ચોથા સૂત્રથી આવે છે. અનશનાદિ છએ પ્રકારમાં ‘સમ્યક્’ શબ્દ લાગુ પડે છે.

ટીકા
૧. સૂત્રમાં કહેલા શબ્દોની વ્યાખ્યા

(૧) સમ્યક્ અનશન– સમ્યગ્દ્રષ્ટિ જીવને આહાર ત્યાગનો ભાવ થતાં વિષય

કષાયનો ભાવ ટળી, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(૨) સમ્યક્ અવમૌદર્ય– સમ્યગ્દ્રષ્ટિ જીવને રાગ ભાવ દૂર કરવા માટે ભૂખ

હોય તે કરતાં ઓછું ભોજન કરવાનો ભાવ થતાં, અંતરંગ
પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(૩) સમ્યક્ વૃત્તિપરિસંખ્યાન– સમ્યગ્દ્રષ્ટિ જીવને સંયમના હેતુએ નિર્દોષ

આહારની ભિક્ષા માટે જતી વખતે, ભોજનની વૃત્તિ તોડનારો
નિયમ કરતાં, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(૪) સમ્યક્ રસ પરિત્યાગ– સમ્યગ્દ્રષ્ટિ જીવને ઇન્દ્રિયો ઉપરના રાગનું દમન

કરવા માટે ઘી, દૂઘ, દહીં, તેલ, મીઠાઈ, લવણ વગેરે રસોનો
યથાશક્તિ ત્યાગ કરવાનો ભાવ થતાં, અંતરંગ પરિણામોની જે
શુદ્ધતા થાય છે તે.

(પ) સમ્યક્ વિવિક્ત શય્યાશન– સમ્યગ્દ્રષ્ટિ જીવને સ્વાધ્યાય, ધ્યાન

વગેરેની પ્રાપ્તિ માટે કોઈ એકાંત નિર્દોષ સ્થાનમાં પ્રમાદરહિત સૂવા-
બેસવાની વૃત્તિ થતાં અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(૬) સમ્યક્ કાયકલેશ–સમ્યગ્દ્રષ્ટિ જીવને શરીર ઉપરની આસક્તિ ઘટાડવા

આતપન વગેરે યોગ ધારણ કરતી વખતે અંતરંગ પરિણામોની જે
શુદ્ધતા થાય છે તે.

૨. ‘સમ્યક્’ શબ્દ એમ સૂચવે છે કે સમ્યગ્દ્રષ્ટિને જ આ તપ હોય છે, મિથ્યાદ્રષ્ટિને તપ હોતું નથી.

૩. સમ્યગ્દ્રષ્ટિ જીવ અનશનની પ્રતિજ્ઞા કરે છે તે વખતે નીચે પ્રમાણે જાણે છે-