Moksha Shastra (Gujarati). Sutra: 8 (Chapter 10).

< Previous Page   Next Page >


Page 613 of 655
PDF/HTML Page 668 of 710

 

૬૧૪ ] [ મોક્ષશાસ્ત્ર પોતાના ઉપાદાનની લાયકાતના કારણે પાણીમાં ડુબેલું રહે છે, પણ જ્યારે લેપ (- માટી) ગળીને દૂર થાય છે ત્યારે તે પાણીની ઉપર સ્વયં પોતાની લાયકાતથી આવી જાય છે; તેમ જીવ જ્યાંસુધી સંગવાળો હોય ત્યાંસુધી પોતાની યોગ્યતાથી સંસારસમુદ્રમાં ડુબેલો રહે છે અને અસંગી થતાં ઊર્ધ્વગમન કરીને લોકના છેડે ચાલ્યો જાય છે.

૩. બંધ છેદનું દ્રષ્ટાંત – જેમ એરંડાના ઝાડનું સૂકું બી જ્યારે છટકે છે ત્યારે ઉપરનું પડ (-બંધન) છૂટી જવાથી તેનું મિંજ ઉપર જાય છે, તેમ જ્યારે જીવની પકવદશા (મુક્તદશા) થતાં કર્મબંધનો છેદ થાય છે ત્યારે તે મુક્તજીવ ઊર્ધ્વગમન કરે છે.

૪. ઊર્ધ્વગમનસ્વભાવનું દ્રષ્ટાંત– જેમ અગ્નિની શિખાનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે અર્થાત્ હવાના અભાવમાં જેમ અગ્નિ (-દીપકાદિ) ની શિખા ઊર્ધ્વ જાય છે તેમ જીવનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે; તેથી મુક્ત દશાં થતાં જીવ પણ ઊર્ધ્વગમન કરે છે. ।। ।।

લોકાગ્રથી આગળ નહિ જવાનું કારણ
धर्मास्तिकायाभावात्।। ८।।

અર્થઃ– [धर्मास्तिकाय अभावात्] આગળ (-અલોકમાં) ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી મુક્ત જીવ લોકના અંત સુધી જ જાય છે.

ટીકા

૧. આ સૂત્રનું કથન નિમિત્તની મુખ્યતાથી છે. ગતિ કરતાં દ્રવ્યોને નિમિત્તરૂપ ધર્માસ્તિકાય દ્રવ્ય છે; તે દ્રવ્ય લોકાકાશ જેવડું છે. તે એમ સૂચવે છે કે જીવ અને પુદ્ગલની ગતિ જ સ્વભાવથી એટલી છે કે તે લોકના છેડા સુધી જ ગમન કરે. જો એમ ન હોય તો એકલા આકાશમાં ‘લોકાકાશ’ અને અલોકાકાશ’ એવા બે ભેદ પડે જ નહિ. છ દ્રવ્યનો બનેલો લોક છે અને અલોકાકાશમાં એકલું આકાશ જ છે. જીવ અને પુદ્ગલ એ બે જ દ્રવ્યોમાં ગમનશક્તિ છે; તેમની ગતિશક્તિ જ સહજપણે એવી છે કે તે લોકમાં જ રહે. ગતિનું નિમિત્ત જે ધર્માસ્તિકાય, તેનો અલોકાકાશમાં અભાવ છે તે એમ સૂચવે છે કે ગતિ કરનાર દ્રવ્યોની ઉપાદાનશક્તિ જ લોકના છેડા સુધી ગમન કરવાની છે. એટલે ખરેખર તો જીવની પોતાની યોગ્યતા જ અલોકમાં જવાની નથી, તેથી જ તે અલોકમાં જતો નથી, ધર્માસ્તિકાયનો અભાવ તો તેમાં નિમિત્તમાત્ર છે.