Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 25 of 655
PDF/HTML Page 80 of 710

 

૨૨] [મોક્ષશાસ્ત્ર એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને, એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું તે મિથ્યા અનેકાન્ત; અથવા તો સમ્યક્ અનેકાન્તથી વસ્તુનું જે સ્વરૂપ નિશ્ચિત છે તેનાથી વિપરીત વસ્તુસ્વરૂપની કેવળ કલ્પના કરી, તેમાં ન હોય તેવા સ્વભાવોની કલ્પના કરવી તે મિથ્યા અનેકાન્ત છે.

૮-જીવ પોતાના ભાવ કરી શકે અને પરવસ્તુને કાંઈ ન કરી શકે એમ
જાણવું તે સમ્યક્ અનેકાન્ત;
જીવ સૂક્ષ્મ પુદ્ગલોનું કાંઈ ન કરી શકે પણ સ્થૂળ પુદ્ગલોનું કરી શકે
એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત.
(૭) સમ્યક્ અને મિથ્યા એકાન્તનું સ્વરૂપ

પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે નહિ હોવાપણું-આદિ વસ્તુનું જે સ્વરૂપ છે તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના એક દેશનો (એક પડખાંનો) વિષય કરનાર નય તે સમ્યક્ એકાંત છે; અને કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે.

(૮) સમ્યક્ અને મિથ્યા એકાન્તનાં દ્રષ્ટાંતો
૧-‘સિદ્ધ ભગવાનો એકાંત સુખી છે’-એમ જાણવું તે સમ્યક્ એકાંત છે,
કેમકે ‘સિદ્ધ જીવોને બિલકુલ દુઃખ નથી’ એમ ગર્ભિતપણે તેમાં આવી
જાય છે. સર્વ જીવો એકાંત સુખી છે-એમ જાણવું તે મિથ્યા એકાંત છે,
કેમકે તેમાં અજ્ઞાની જીવો વર્તમાન દુઃખી છે તેનો નકાર થાય છે.
ર-‘એકાંત બોધબીજરૂપ જીવનો સ્વભાવ છે’ એમ જાણવું તે સમ્યક્ એકાંત
છે, કેમકે ‘છદ્મસ્થ જીવની વર્તમાન જ્ઞાનઅવસ્થા ઓછા ઉઘાડવાળી છે’-
એમ તેમાં ગર્ભિતપણે આવી જાય છે.
૩-‘સમ્યગ્જ્ઞાન તે ધર્મ છે’-એમ જાણવું તે સમ્યક્ એકાંત છે. કેમકે
‘સમ્યગ્જ્ઞાનપૂર્વક વૈરાગ્ય હોય છે-’ એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે;
સમ્યગ્જ્ઞાન વિનાનો ‘ત્યાગ તે જ ધર્મ છે’-એમ જાણવું તે મિથ્યા એકાંત
છે, કેમકે તે સમ્યગ્જ્ઞાન વિનાનો હોવાથી મિથ્યા ત્યાગ છે.
(૯) પ્રમાણના પ્રકારો
પ્રમાણના બે પ્રકાર છે-પરોક્ષ અને પ્રત્યક્ષ.
પરોક્ષઃ– જે ઈન્દ્રિયોથી સ્પર્શાઈ પ્રવર્તે તથા જે ચક્ષુ અને મનથી વગર સ્પર્શ્યે