निर्भेदोदितशर्मनिर्मितवियद्बिम्बाकृतावात्मनि ।
बुद्धिं किं न करोषि वाञ्छसि सुखं त्वं संसृतेर्दुष्कृतेः ।।५५।।
अत्र प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धोदयस्थाननिचयो जीवस्य न समस्तीत्युक्त म् । नित्यनिरुपरागस्वरूपस्य निरंजननिजपरमात्मतत्त्वस्य न खलु जघन्यमध्यमोत्कृष्टद्रव्य-
[શ્લોકાર્થઃ] જે પ્રીતિ-અપ્રીતિ રહિત શાશ્વત પદ છે, જે નિઃશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, જે નભમંડળ સમાન આકૃતિવાળો (અર્થાત્ નિરાકાર – અરૂપી) છે, ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચર છેએવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ વાંછે છે? ૫૫.
અન્વયાર્થઃ[जीवस्य] જીવને [न स्थितिबंधस्थानानि] સ્થિતિબંધસ્થાનો નથી, [प्रकृतिस्थानानि] પ્રકૃતિસ્થાનો નથી, [प्रदेशस्थानानि वा] પ્રદેશસ્થાનો નથી, [न अनुभागस्थानानि] અનુભાગસ્થાનો નથી [वा] કે [न उदयस्थानानि] ઉદયસ્થાનો નથી.
ટીકાઃઅહીં (આ ગાથામાં) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધનાં સ્થાનોનો તથા ઉદયનાં સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે.
સદા *નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન (નિર્દોષ) નિજ પરમાત્મતત્ત્વને
૭૮ ]
*નિરુપરાગ = ઉપરાગ વિનાનું. [ઉપરાગ = કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો
ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ; ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા.]