Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 82 of 380
PDF/HTML Page 111 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

चक्षुरचक्षुरवधिदर्शनभेदाद्दर्शनानि त्रीणि, कालकरणोपदेशोपशमप्रायोग्यताभेदाल्लब्धयः पञ्च, वेदकसम्यक्त्वं, वेदकचारित्रं, संयमासंयमपरिणतिश्चेति औदयिकभावस्य नारकतिर्यङ्- मनुष्यदेवभेदाद् गतयश्चतस्रः, क्रोधमानमायालोभभेदात् कषायाश्चत्वारः, स्त्रीपुं- नपुंसकभेदाल्लिङ्गानि त्रीणि, सामान्यसंग्रहनयापेक्षया मिथ्यादर्शनमेकम्, अज्ञानं चैकम्, असंयमता चैका, असिद्धत्वं चैकम्, शुक्लपद्मपीतकापोतनीलकृष्णभेदाल्लेश्याः षट् च भवन्ति पारिणामिकस्य जीवत्वपारिणामिकः, भव्यत्वपारिणामिकः, अभव्यत्वपारिणामिकः इति त्रिभेदाः अथायं जीवत्वपारिणामिकभावो भव्याभव्यानां सद्रशः, भव्यत्व- पारिणामिकभावो भव्यानामेव भवति, अभव्यत्वपारिणामिकभावोऽभव्यानामेव भवति इति पंचभावप्रपंचः

पंचानां भावानां मध्ये क्षायिकभावः कार्यसमयसारस्वरूपः स त्रैलोक्यप्रक्षोभ- हेतुभूततीर्थकरत्वोपार्जितसकलविमलकेवलावबोधसनाथतीर्थनाथस्य भगवतः सिद्धस्य वा


એવા ભેદને લીધે અજ્ઞાન ત્રણ; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન ને અવધિદર્શન એવા ભેદને લીધે દર્શન ત્રણ; કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ, ઉપશમલબ્ધિ ને પ્રાયોગ્યતાલબ્ધિ એવા ભેદને લીધે લબ્ધિ પાંચ; વેદકસમ્યક્ત્વ; વેદકચારિત્ર; અને સંયમાસંયમપરિણતિ.

ઔદયિકભાવના એકવીશ ભેદ આ પ્રમાણે છેઃ નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ ને દેવગતિ એવા ભેદને લીધે ગતિ ચાર; ક્રોધકષાય, માનકષાય, માયાકષાય ને લોભકષાય એવા ભેદને લીધે કષાય ચાર; સ્ત્રીલિંગ, પુંલિંગ અને નપુંસકલિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ; સામાન્યસંગ્રહનયની અપેક્ષાએ મિથ્યાદર્શન એક, અજ્ઞાન એક ને અસંયમતા એક; અસિદ્ધત્વ એક; શુક્લલેશ્યા, પદ્મલેશ્યા, પીતલેશ્યા, કાપોતલેશ્યા, નીલલેશ્યા ને કૃષ્ણલેશ્યા એવા ભેદને લીધે લેશ્યા છ.

પારિણામિકભાવના ત્રણ ભેદ આ પ્રમાણે છેઃ જીવત્વપારિણામિક, ભવ્યત્વ- પારિણામિક અને અભવ્યત્વપારિણામિક. આ જીવત્વપારિણામિકભાવ ભવ્યોને તેમ જ અભવ્યોને સમાન હોય છે; ભવ્યત્વપારિણામિકભાવ ભવ્યોને જ હોય છે; અભવ્યત્વ- પારિણામિકભાવ અભવ્યોને જ હોય છે.

આ રીતે પાંચ ભાવોનું કથન કર્યું. પાંચ ભાવો મધ્યે ક્ષાયિકભાવ કાર્યસમયસારસ્વરૂપ છે; તે (ક્ષાયિકભાવ) ત્રિલોકમાં

૮૨ ]