भवति । औदयिकौपशमिकक्षायोपशमिकभावाः संसारिणामेव भवन्ति, न मुक्तानाम् । पूर्वोक्त भावचतुष्टयमावरणसंयुक्त त्वात् न मुक्ति कारणम् । त्रिकालनिरुपाधिस्वरूपनिरंजन- निजपरमपंचमभावभावनया पंचमगतिं मुमुक्षवो यान्ति यास्यन्ति गताश्चेति ।
त्यजतु परमतत्त्वाभ्यासनिष्णातचित्तः ।
भजतु भवविमुक्त्यै कोऽत्र दोषो मुनीशः ।।५9।।
તીર્થનાથને (તેમ જ ઉપલક્ષણથી સામાન્ય કેવળીને) અથવા સિદ્ધભગવાનને હોય છે. ઔદયિક, ઔપશમિક અને ક્ષાયોપશમિક ભાવો સંસારીઓને જ હોય છે, મુક્ત જીવોને નહિ.
પૂર્વોક્ત ચાર ભાવો આવરણસંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. ત્રિકાળનિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમભાવની (પારિણામિકભાવની) ભાવનાથી પંચમગતિએ મુમુક્ષુઓ (વર્તમાન કાળે) જાય છે, (ભવિષ્ય કાળે) જશે અને (ભૂત કાળે) જતા.
[હવે ૪૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ] (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ) પાંચ આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે. ૫૮.
[શ્લોકાર્થઃ] સઘળુંય સુકૃત (શુભ કર્મ) ભોગીઓના ભોગનું મૂળ છે; પરમ
*પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ-વિમળ કેવળજ્ઞાનથી યુક્ત
*પ્રક્ષોભ = ખળભળાટ [તીર્થંકરના જન્મકલ્યાણકાદિ પ્રસંગે ત્રણ લોકમાં આનંદમય ખળભળાટ થાય
છે.]