इह हि शुद्धनिश्चयनयेन शुद्धजीवस्य समस्तसंसारविकारसमुदयो न समस्ती- त्युक्त म् ।
द्रव्यभावकर्मस्वीकाराभावाच्चतसृणां नारकतिर्यङ्मनुष्यदेवत्वलक्षणानां गतीनां
परिभ्रमणं न भवति । नित्यशुद्धचिदानन्दरूपस्य कारणपरमात्मस्वरूपस्य द्रव्यभाव-
कर्मग्रहणयोग्यविभावपरिणतेरभावान्न जातिजरामरणरोगशोकाश्च । चतुर्गतिजीवानां कुल-
તત્ત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વર ભવથી વિમુક્ત થવા અર્થે તે સઘળાય શુભ કર્મને છોડો અને *સારતત્ત્વસ્વરૂપ એવા ઉભય સમયસારને ભજો. એમાં શો દોષ છે? ૫૯.
અન્વયાર્થઃ[जीवस्य] જીવને [चतुर्गतिभवसंभ्रमणं] ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ [जातिजरामरणरोगशोकाः] જન્મ, જરા, મરણ, રોગ, શોક, [कुलयोनिजीवमार्गणस्थानानि च] કુળ, યોનિ, જીવસ્થાનો અને માર્ગણાસ્થાનો [नो सन्ति] નથી.
ટીકાઃશુદ્ધ નિશ્ચયનયે શુદ્ધ જીવને સમસ્ત સંસારવિકારનો સમુદાય નથી એમ અહીં (આ ગાથામાં) કહ્યું છે.
દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો સ્વીકાર નહિ હોવાથી જીવને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું પરિભ્રમણ નથી.
નિત્યશુદ્ધ ચિદાનંદરૂપ કારણપરમાત્મસ્વરૂપ જીવને દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ગ્રહણને યોગ્ય વિભાવપરિણતિનો અભાવ હોવાથી જન્મ, જરા, મરણ, રોગ અને શોક નથી.
૮૪ ]