Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 85 of 380
PDF/HTML Page 114 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૮૫

योनिविकल्प इह नास्ति इत्युच्यते तद्यथापृथ्वीकायिकजीवानां द्वाविंशति- लक्षकोटिकुलानि, अप्कायिकजीवानां सप्तलक्षकोटिकुलानि, तेजस्कायिकजीवानां त्रिलक्ष- कोटिकुलानि, वायुकायिकजीवानां सप्तलक्षकोटिकुलानि, वनस्पतिकायिकजीवानाम् अष्टोत्तरविंशतिलक्षकोटिकुलानि, द्वीन्द्रियजीवानां सप्तलक्षकोटिकुलानि, त्रीन्द्रियजीवानाम् अष्टलक्षकोटिकुलानि, चतुरिन्द्रियजीवानां नवलक्षकोटिकुलानि, पंचेन्द्रियेषु जलचराणां सार्धद्वादशलक्षकोटिकुलानि, आकाशचरजीवानां द्वादशलक्षकोटिकुलानि, चतुष्पदजीवानां दशलक्षकोटिकुलानि, सरीसृपानां नवलक्षकोटिकुलानि, नारकाणां पंचविंशतिलक्ष- कोटिकुलानि, मनुष्याणां द्वादशलक्षकोटिकुलानि, देवानां षड्विंशतिलक्षकोटिकुलानि

सर्वाणि सार्धसप्तनवत्यग्रशतकोटिलक्षाणि १9७५०००००००००००

पृथ्वीकायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, अप्कायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, तेजस्कायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, वायुकायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, नित्यनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि, चतुर्गतिनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि,

ચતુર્ગતિ (ચાર ગતિના) જીવોનાં કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી એમ (હવે) કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ

પૃથ્વીકાયિક જીવોનાં બાવીશ લાખ કરોડ કુળ છેઃ અપ્કાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છેઃ તેજકાયિક જીવોનાં ત્રણ લાખ કરોડ કુળ છેઃ વાયુકાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; વનસ્પતિકાયિક જીવોનાં અઠ્યાવીશ લાખ કરોડ કુળ છે; દ્વીંદ્રિય જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; ત્રીંદ્રિય જીવોનાં આઠ લાખ કરોડ કુળ છે; ચતુરિંદ્રિય જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; પંચેન્દ્રિય જીવોને વિષે જળચર જીવોનાં સાડા બાર લાખ કરોડ કુળ છે; ખેચર જીવોનાં બાર લાખ કરોડ કુળ છે; ચાર પગવાળા જીવોનાં દશ લાખ કરોડ કુળ છે; સર્પાદિક પેટે ચાલનારા જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; નારકોનાં પચીશ લાખ કરોડ કુળ છે; મનુષ્યોનાં બાર લાખ કરોડ કુળ છે અને દેવોનાં છવ્વીશ લાખ કરોડ કુળ છે. બધાં થઈને એક સો સાડી સત્તાણું લાખ કરોડ (૧૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦) કુળ છે.

પૃથ્વીકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; અપ્કાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; તેજકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વાયુકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; નિત્ય નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; ચતુર્ગતિ (ચાર