योनिविकल्प इह नास्ति इत्युच्यते । तद्यथा — पृथ्वीकायिकजीवानां द्वाविंशति- लक्षकोटिकुलानि, अप्कायिकजीवानां सप्तलक्षकोटिकुलानि, तेजस्कायिकजीवानां त्रिलक्ष- कोटिकुलानि, वायुकायिकजीवानां सप्तलक्षकोटिकुलानि, वनस्पतिकायिकजीवानाम् अष्टोत्तरविंशतिलक्षकोटिकुलानि, द्वीन्द्रियजीवानां सप्तलक्षकोटिकुलानि, त्रीन्द्रियजीवानाम् अष्टलक्षकोटिकुलानि, चतुरिन्द्रियजीवानां नवलक्षकोटिकुलानि, पंचेन्द्रियेषु जलचराणां सार्धद्वादशलक्षकोटिकुलानि, आकाशचरजीवानां द्वादशलक्षकोटिकुलानि, चतुष्पदजीवानां दशलक्षकोटिकुलानि, सरीसृपानां नवलक्षकोटिकुलानि, नारकाणां पंचविंशतिलक्ष- कोटिकुलानि, मनुष्याणां द्वादशलक्षकोटिकुलानि, देवानां षड्विंशतिलक्षकोटिकुलानि
सर्वाणि सार्धसप्तनवत्यग्रशतकोटिलक्षाणि १9७५००००००००००० ।
पृथ्वीकायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, अप्कायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, तेजस्कायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, वायुकायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, नित्यनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि, चतुर्गतिनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि,
ચતુર્ગતિ (ચાર ગતિના) જીવોનાં કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી એમ (હવે) કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ
પૃથ્વીકાયિક જીવોનાં બાવીશ લાખ કરોડ કુળ છેઃ અપ્કાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છેઃ તેજકાયિક જીવોનાં ત્રણ લાખ કરોડ કુળ છેઃ વાયુકાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; વનસ્પતિકાયિક જીવોનાં અઠ્યાવીશ લાખ કરોડ કુળ છે; દ્વીંદ્રિય જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; ત્રીંદ્રિય જીવોનાં આઠ લાખ કરોડ કુળ છે; ચતુરિંદ્રિય જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; પંચેન્દ્રિય જીવોને વિષે જળચર જીવોનાં સાડા બાર લાખ કરોડ કુળ છે; ખેચર જીવોનાં બાર લાખ કરોડ કુળ છે; ચાર પગવાળા જીવોનાં દશ લાખ કરોડ કુળ છે; સર્પાદિક પેટે ચાલનારા જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; નારકોનાં પચીશ લાખ કરોડ કુળ છે; મનુષ્યોનાં બાર લાખ કરોડ કુળ છે અને દેવોનાં છવ્વીશ લાખ કરોડ કુળ છે. બધાં થઈને એક સો સાડી સત્તાણું લાખ કરોડ (૧૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦) કુળ છે.
પૃથ્વીકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; અપ્કાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; તેજકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વાયુકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; નિત્ય નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; ચતુર્ગતિ (ચાર