Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 96 of 380
PDF/HTML Page 125 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

निश्चयेन वर्णपंचकं, रसपंचकं, गन्धद्वितयं, स्पर्शाष्टकं, स्त्रीपुंनपुंसकादिविजातीय- विभावव्यंजनपर्यायाः, कुब्जादिसंस्थानानि, वज्रर्षभनाराचादिसंहननानि विद्यन्ते पुद्गलानामेव, न जीवानाम् संसारावस्थायां संसारिणो जीवस्य स्थावरनामकर्मसंयुक्त स्य कर्मफलचेतना भवति, त्रसनामकर्मसनाथस्य कार्ययुतकर्मफलचेतना भवति कार्यपरमात्मनः कारण- परमात्मनश्च शुद्धज्ञानचेतना भवति अत एव कार्यसमयसारस्य वा कारणसमयसारस्य वा शुद्धज्ञानचेतना सहजफलरूपा भवति अतः सहजशुद्धज्ञानचेतनात्मानं निजकारणपरमात्मानं संसारावस्थायां मुक्तावस्थायां वा सर्वदैकरूपत्वादुपादेयमिति हे शिष्य त्वं जानीहि इति

तथा चोक्त मेकत्वसप्ततौ

(मन्दाक्रांता)
‘‘आत्मा भिन्नस्तदनुगतिमत्कर्म भिन्नं तयोर्या
प्रत्यासत्तेर्भवति विकृतिः साऽपि भिन्ना तथैव
कालक्षेत्रप्रमुखमपि यत्तच्च भिन्नं मतं मे
भिन्नं भिन्नं निजगुणकलालंकृतं सर्वमेतत
।।’’

નિશ્ચયથી પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શ, સ્ત્રી-પુરુષ-નપુંસકાદિ વિજાતીય વિભાવવ્યંજનપર્યાયો, કુબ્જાદિ સંસ્થાનો, વજ્રર્ષભનારાચાદિ સંહનનો પુદ્ગલોને જ છે, જીવોને નથી. સંસાર-અવસ્થામાં સ્થાવરનામકર્મયુક્ત સંસારી જીવને કર્મફળચેતના હોય છે, ત્રસનામકર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મફળચેતના હોય છે. કાર્યપરમાત્માને અને કારણપરમાત્માને શુદ્ધજ્ઞાનચેતના હોય છે. તેથી જ કાર્યસમયસારને કે કારણસમયસારને સહજફળરૂપ શુદ્ધજ્ઞાનચેતના હોય છે. આથી, સહજશુદ્ધ-જ્ઞાનચેતનાસ્વરૂપ નિજ કારણ- પરમાત્મા સંસારાવસ્થામાં કે મુક્તાવસ્થામાં સર્વદા એકરૂપ હોવાથી ઉપાદેય છે એમ, હે શિષ્ય! તું જાણ.

એવી રીતે એકત્વસપ્તતિમાં (શ્રીપદ્મનંદી-આચાર્યદેવકૃત પદ્મનંદિપંચવિંશતિકા નામના શાસ્ત્રને વિષે એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૭૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] મારું એમ મંતવ્ય છે કેઆત્મા જુદો છે અને તેની પાછળ પાછળ જનારું કર્મ જુદું છે; આત્મા અને કર્મની અતિ નિકટતાથી જે વિકૃતિ થાય છે તે પણ તેવી જ રીતે (આત્માથી) જુદી છે; વળી કાળ-ક્ષેત્રાદિક જે છે તે પણ (આત્માથી) જુદાં છે. નિજ નિજ ગુણકળાથી અલંકૃત આ બધુંય જુદે જુદું છે (અર્થાત

૯૬ ]