निश्चयनयबलेन हेया भवन्ति । कुतः ? परस्वभावत्वात्, अत एव परद्रव्यं भवति । सकलविभावगुणपर्यायनिर्मुक्तं शुद्धान्तस्तत्त्वस्वरूपं स्वद्रव्यमुपादेयम् । अस्य खलु सहज- ज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकस्य शुद्धान्तस्तत्त्वस्वरूपस्याधारः सहज- परमपारिणामिकभावलक्षणकारणसमयसार इति ।
शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् ।
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि ।।’’
तथा हि — દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનયે) તેઓ હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજજ્ઞાન- સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગ-સુખાત્મક શુદ્ધઅંતઃતત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજપરમપારિણામિકભાવલક્ષણ ( – સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો) કારણસમયસાર છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૮૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત ( – ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ) છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે‘હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.’ ’’
વળી (આ ૫૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ