Niyamsar (Gujarati). Vyavahar Charitra Adhikar Gatha: 56.

< Previous Page   Next Page >


Page 109 of 380
PDF/HTML Page 138 of 409

 

વ્યવહારચારિત્ર અધિકાર
अथेदानीं व्यवहारचारित्राधिकार उच्यते
कुलजोणिजीवमग्गणठाणाइसु जाणिऊण जीवाणं
तस्सारंभणियत्तणपरिणामो होइ पढमवदं ।।५६।।
कुलयोनिजीवमार्गणास्थानादिषु ज्ञात्वा जीवानाम्
तस्यारम्भनिवृत्तिपरिणामो भवति प्रथमव्रतम् ।।५६।।

अहिंसाव्रतस्वरूपाख्यानमेतत

कुलविकल्पो योनिविकल्पश्च जीवमार्गणास्थानविकल्पाश्च प्रागेव प्रतिपादिताः अत्र पुनरुक्ति दोषभयान्न प्रतिपादिताः तत्रैव तेषां भेदान् बुद्ध्वा तद्रक्षापरिणतिरेव

હવે વ્યવહારચારિત્ર અધિકાર કહેવામાં આવે છે.

જીવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ, કુલાદિ જીવનાં જાણીને,
આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. ૫૬.

અન્વયાર્થઃ[जीवानाम्] જીવોનાં [कुलयोनिजीवमार्गणास्थानादिषु] કુળ, યોનિ, જીવસ્થાન, માર્ગણાસ્થાન વગેરે [ज्ञात्वा] જાણીને [तस्य] તેમના [आरम्भनिवृत्तिपरिणामः] આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે [प्रथमव्रतम्] પહેલું વ્રત [भवति] છે.

ટીકાઃઆ, અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે.

કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ અને માર્ગણાસ્થાનના ભેદ પહેલાં જ (૪૨મી ગાથાની ટીકામાં જ) પ્રતિપાદિત કરવામાં આવ્યા છે; અહીં પુનરુક્તિદોષના ભયથી પ્રતિપાદિત કર્યા નથી. ત્યાં કહેલા તેમના ભેદોને જાણીને તેમની રક્ષારૂપ પરિણતિ તે જ