सकलभुवनजीवग्रामसौख्यप्रदो यः ।
विविधवधविदूरश्चारुशर्माब्धिपूरः ।।७६।।
सत्यव्रतस्वरूपाख्यानमेतत् ।
अत्र मृषापरिणामः सत्यप्रतिपक्षः, स च रागेण वा द्वेषेण वा मोहेन वा जायते । सदा यः साधुः आसन्नभव्यजीवः तं परिणामं परित्यजति तस्य द्वितीयव्रतं भवति इति ।
[શ્લોકાર્થઃ — ] ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે, સકળ લોકના જીવસમૂહને જે સુખપ્રદ છે, સ્થાવર એકેંદ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે અને સુંદર સુખસાગરનું જે પૂર છે, તે જિનધર્મ જયવંત વર્તે છે. ૭૬.
અન્વયાર્થઃ — [रागेण वा] રાગથી, [द्वेषेण वा] દ્વેષથી [मोहेन वा] અથવા મોહથી થતા [मृषाभाषापरिणामं] મૃષા ભાષાના પરિણામને [यः साधुः] જે સાધુ [प्रजहाति] છોડે છે, [तस्य एव] તેને જ [सदा] સદા [द्वितीयव्रतं] બીજું વ્રત [भवति] છે.
ટીકાઃ — આ, સત્યવ્રતના સ્વરૂપનું કથન છે.
અહીં (એમ કહ્યું છે કે), સત્યનો પ્રતિપક્ષ (અર્થાત્ સત્યથી વિરુદ્ધ પરિણામ) તે મૃષાપરિણામ છે; તે (અસત્ય બોલવાના પરિણામ) રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે; જે સાધુ — આસન્નભવ્ય જીવ — તે પરિણામને પરિત્યજે છે (-સમસ્ત પ્રકારે છોડે છે), તેને બીજું વ્રત હોય છે.