ध्यायति यः परमसंयमी मुहुर्मुहुः कलेवरस्याप्यशुचित्वं वा परिभावयति, तस्य खलु
प्रतिष्ठापनसमितिरिति । नान्येषां स्वैरवृत्तीनां यतिनामधारिणां काचित् समितिरिति ।
जिनमतकुशलानां स्वात्मचिंतापराणाम् ।
सहितमुनिगणानां नैव सा गोचरा स्यात् ।।८८।।
भवभवभयध्वान्तप्रध्वंसपूर्णशशिप्रभाम् ।
जिनमततपःसिद्धं यायाः फलं किमपि ध्रुवम् ।।८9।।
કાયકર્મોનો ( – શરીરની ક્રિયાઓનો), સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, નિજ આત્માને અવ્યગ્ર ( – એકાગ્ર) થઈને ધ્યાવે છે અથવા ફરીફરીને કલેવરનું ( – શરીરનું) પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે, તેને ખરેખર પ્રતિષ્ઠાપનસમિતિ હોય છે. બીજા સ્વચ્છંદવૃત્તિવાળા યતિનામધારીઓને કોઈ સમિતિ હોતી નથી.
[હવે ૬૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] જિનમતમાં કુશળ અને સ્વાત્મચિંતનમાં પરાયણ એવા યતિઓને આ સમિતિ મુક્તિસામ્રાજ્યનું મૂળ છે. કામદેવના તીક્ષ્ણ અસ્ત્રસમૂહથી ભેદાયેલા હૃદયવાળા મુનિગણોને તે (સમિતિ) ગોચર નથી જ હોતી. ૮૮.
[શ્લોકાર્થઃ — ] હે મુનિ! સમિતિઓમાંની આ સમિતિને — કે જે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે, જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે તથા તારી સત્-દીક્ષારૂપી કાન્તાની ( – સાચી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીની) સખી છે તેને — હવે પ્રમોદથી જાણીને, જિનમતકથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ (અનુપમ) ધ્રુવ ફળને તું પામીશ. ૮૯.