सपदि याति मुनिः परमार्थतः ।
किमपि केवलसौख्यसुधामयम् ।।9०।।
व्यवहारमनोगुप्तिस्वरूपाख्यानमेतत् । क्रोधमानमायालोभाभिधानैश्चतुर्भिः कषायैः क्षुभितं चित्तं कालुष्यम् । मोहो
[શ્લોકાર્થઃ — ] સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ મન-વાણીને પણ અગોચર (-મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળસુખામૃતમય ઉત્તમ ફળ શીઘ્ર પામે છે. ૯૦.
અન્વયાર્થઃ — [कालुष्यमोहसंज्ञारागद्वेषाद्यशुभभावानाम्] કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના [परिहारः] પરિહારને [व्यवहारनयेन] વ્યવહારનયથી [मनोगुप्तिः] મનોગુપ્તિ [परिकथिता] કહેલ છે.
ટીકાઃ — આ, વ્યવહાર *મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે.
ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા
૧૨૮ ]
*મુનિને મુનિત્વોચિત શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) મન-આશ્રિત, વચન-આશ્રિત
કે કાય-આશ્રિત શુભોપયોગ તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે, કારણ કે શુભોપયોગમાં મન,
વચન કે કાય સાથે અશુભોપયોગરૂપ જોડાણ નથી. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ
સહિત હોય છે. તે શુભોપયોગ તો વ્યવહારગુપ્તિ પણ કહેવાતો નથી.