ध्यात्वा शुद्धं सहजविलसच्चिच्चमत्कारमेकम् ।
प्राप्नोत्युच्चैः प्रहतदुरितध्वांतसंघातरूपः ।।9२।।
‘‘[શ્લોકાર્થઃ — ] એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે) ત્યાગવાં. — આ, સંક્ષેપથી યોગ (અર્થાત્ સમાધિ) છે — કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે (અર્થાત્ પરમાત્માને પ્રકાશનાર દીવો છે).’’
વળી (આ ૬૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજ- વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને, પછી, પાપરૂપી તિમિરસમૂહને નષ્ટ કરીને સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. ૯૨.
અન્વયાર્થઃ — [बंधनछेदनमारणाकुंचनानि] બંધન, છેદન, મારણ ( – મારી નાખવું), આકુંચન ( – સંકોચવું) [तथा] તથા [प्रसारणादीनि] પ્રસારણ ( – વિસ્તારવું) ઇત્યાદિ