अत्र कायगुप्तिस्वरूपमुक्त म् ।
कस्यापि नरस्य तस्यान्तरंगनिमित्तं कर्म, बंधनस्य बहिरंगहेतुः कस्यापि कायव्यापारः । छेदनस्याप्यन्तरंगकारणं कर्मोदयः, बहिरंगकारणं प्रमत्तस्य कायक्रिया । मारणस्याप्यन्तरङ्गहेतुरांतर्यक्षयः, बहिरङ्गकारणं कस्यापि कायविकृतिः । आकुंचन- प्रसारणादिहेतुः संहरणविसर्पणादिहेतुसमुद्घातः । एतासां कायक्रियाणां निवृत्तिः काय- गुप्तिरिति ।
[कायक्रियानिवृत्तिः] કાયક્રિયાઓની નિવૃત્તિને [कायगुप्तिः इति निर्दिष्टा] કાયગુપ્તિ કહી છે.
ટીકાઃ — અહીં કાયગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.
કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે, બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાયવ્યાપાર છે; છેદનનું પણ અંતરંગ કારણ કર્મોદય છે, બહિરંગ કારણ પ્રમત્ત જીવની કાયક્રિયા છે; મારણનો પણ અંતરંગ હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે, બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે; આકુંચન, પ્રસારણ વગેરેનો હેતુ સંકોચ- વિસ્તારાદિકના હેતુભૂત સમુદ્ઘાત છે. — આ કાયક્રિયાઓની નિવૃત્તિ તે કાયગુપ્તિ છે.
[હવે ૬૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] કાયવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યક્ ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે. ૯૩.
૧૩૨ ]