निश्चयनयेन मनोवाग्गुप्तिसूचनेयम् ।
सकलमोहरागद्वेषाभावादखंडाद्वैतपरमचिद्रूपे सम्यगवस्थितिरेव निश्चयमनोगुप्तिः । हे शिष्य त्वं तावदचलितां मनोगुप्तिमिति जानीहि । निखिलानृतभाषापरिहृतिर्वा मौनव्रतं च । मूर्तद्रव्यस्य चेतनाभावाद् अमूर्तद्रव्यस्येंद्रियज्ञानागोचरत्वादुभयत्र वाक्प्रवृत्तिर्न भवति । इति निश्चयवाग्गुप्तिस्वरूपमुक्त म् ।
शुद्धाशुद्धनयातिरिक्त मनघं चिन्मात्रचिन्तामणिम् ।
जीवन्मुक्ति मुपैति योगितिलकः पापाटवीपावकः ।।9४।।
અન્વયાર્થઃ — [मनसः] મનમાંથી [या] જે [रागादिनिवृत्तिः] રાગાદિની નિવૃત્તિ [ताम्] તેને [मनोगुप्तिम्] મનોગુપ્તિ [जानीहि] જાણ. [अलीकादिनिवृत्तिः] અસત્યાદિની નિવૃત્તિ [वा] અથવા [मौनं वा] મૌન [वाग्गुप्तिः भवति] તે વચનગુપ્તિ છે.
ટીકાઃ — આ, નિશ્ચયનયથી મનોગુપ્તિની અને વચનગુપ્તિની સૂચના છે.
સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે અખંડ અદ્વૈત પરમચિદ્રૂપમાં સમ્યક્પણે અવસ્થિત રહેવું તે જ નિશ્ચયમનોગુપ્તિ છે. હે શિષ્ય! તું તેને ખરેખર અચલિત મનોગુપ્તિ જાણ.
સમસ્ત અસત્ય ભાષાનો પરિહાર અથવા મૌનવ્રત તે વચનગુપ્તિ છે. મૂર્તદ્રવ્યને ચેતનાનો અભાવ હોવાને લીધે અને અમૂર્તદ્રવ્ય ઇન્દ્રિયજ્ઞાનથી અગોચર હોવાને લીધે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ થતી નથી. આ રીતે નિશ્ચયવચનગુપ્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
[હવે ૬૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવો યોગિતિલક