निश्चयशरीरगुप्तिस्वरूपाख्यानमेतत् ।
सर्वेषां जनानां कायेषु बह्वयः क्रिया विद्यन्ते, तासां निवृत्तिः कायोत्सर्गः, स एव गुप्तिर्भवति । पंचस्थावराणां त्रसानां च हिंसानिवृत्तिः कायगुप्तिर्वा । परमसंयमधरः परमजिनयोगीश्वरः यः स्वकीयं वपुः स्वस्य वपुषा विवेश तस्यापरिस्पंदमूर्तिरेव निश्चयकायगुप्तिरिति ।
तथा चोक्तं तत्त्वानुशासने — (મુનિશિરોમણિ) પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો, શુદ્ધનય અને અશુદ્ધનયથી રહિત એવા અનઘ ( – નિર્દોષ) ચૈતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને, અનંતચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુક્તિને પામે છે. ૯૪.
અન્વયાર્થઃ — [कायक्रियानिवृत्तिः] કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ [कायोत्सर्गः] કાયોત્સર્ગ [शरीरके गुप्तिः] શરીરસંબંધી ગુપ્તિ છે; [वा] અથવા [हिंसादिनिवृत्तिः] હિંસાદિની નિવૃત્તિને [शरीरगुप्तिः इति] શરીરગુપ્તિ [निर्दिष्टा] કહી છે.
ટીકાઃ — આ, નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે.
સર્વ જનોને કાયાસંબંધી બહુ ક્રિયાઓ હોય છે; તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે; તે જ ગુપ્તિ (અર્થાત્ કાયગુપ્તિ) છે. અથવા પાંચ સ્થાવરોની અને ત્રસોની હિંસાનિવૃત્તિ તે કાયગુપ્તિ છે. જે પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂપ) શરીરમાં પોતાના (ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદમૂર્તિ જ ( – અકંપા દશા જ) નિશ્ચયકાયગુપ્તિ છે.
એવી રીતે શ્રી તત્ત્વાનુશાસનમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
૧૩૪ ]