भगवतोऽर्हत्परमेश्वरस्य स्वरूपाख्यानमेतत् । आत्मगुणघातकानि घातिकर्माणि घनरूपाणि सान्द्रीभूतात्मकानि ज्ञानदर्शना-
‘‘[શ્લોકાર્થઃ — ] કાયક્રિયાઓને તથા ભવના કારણભૂત (વિકારી) ભાવને છોડીને અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ કહેવાય છે.’’
વળી (આ ૭૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] અપરિસ્પંદાત્મક એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે; તેથી હું શરીરની વિકૃતિને તજું છું. ૯૫.
અન્વયાર્થઃ — [घनघातिकर्मरहिताः] ઘનઘાતીકર્મ રહિત, [केवलज्ञानादिपरमगुणसहिताः] કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને [चतुस्त्रिंशदतिशययुक्ताः] ચોત્રીશ અતિશય સંયુક્ત; — [ईद्रशाः] આવા, [अर्हन्तः] અર્હંતો [भवन्ति] હોય છે.
ટીકાઃ — આ, ભગવાન અર્હત્ પરમેશ્વરના સ્વરૂપનું કથન છે.
[ભગવંત અર્હંતો કેવા હોય છે?] (૧) જેઓ આત્મગુણોનાં ઘાતક ઘાતિકર્મો છે અને