कर्मबंधाः । क्षायिकसम्यक्त्वाद्यष्टगुणपुष्टितुष्टाश्च । त्रितत्त्वस्वरूपेषु विशिष्टगुणाधारत्वात् परमाः । त्रिभुवनशिखरात्परतो गतिहेतोरभावात् लोकाग्रस्थिताः । व्यवहारतोऽभूतपूर्वपर्याय प्रच्यवनाभावान्नित्याः । ईद्रशास्ते भगवन्तः सिद्धपरमेष्ठिन इति ।
त्रिभुवनशिखराग्रग्रावचूडामणिः स्यात् ।
निवसति निजरूपे निश्चयेनैव देवः ।।१०१।।
तान् सर्वान् सिद्धिसिद्धयै निरुपमविशदज्ञानद्रक्शक्ति युक्तान् ।
अव्याबाधान्नमामि त्रिभुवनतिलकान् सिद्धिसीमन्तिनीशान् ।।१०२।।
(૨) ૧ક્ષાયિક સમ્યક્ત્વાદિ અષ્ટ ગુણોની પુષ્ટિથી તુષ્ટ; (૩) વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાં ૨પરમ; (૪) ત્રણ લોકના શિખરથી આગળ ગતિહેતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત; (૫) વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી ( – પૂર્વે કદી નહિ થયેલા એવા સિદ્ધપર્યાયમાંથી) ચ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય; — આવા, તે ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓ હોય છે.
[હવે ૭૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] વ્યવહારનયથી જ્ઞાનપુંજ એવા તે સિદ્ધભગવાન ત્રિભુવનશિખરની ટોચના (ચૈતન્યઘનરૂપ) નક્કર ૩ચૂડામણિ છે; નિશ્ચયથી તે દેવ સહજપરમચૈતન્યચિંતામણિ- સ્વરૂપ નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. ૧૦૧.
[શ્લોકાર્થઃ — ] જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહમુક્ત થઈને ત્રિભુવનશિખરે સ્થિત
અર્થાત્ સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે.]
૧. સિદ્ધભગવંતો ક્ષાયિક સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ — આનંદમય હોય છે.
૨. સિદ્ધભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિઃતત્ત્વ, અંતઃતત્ત્વ અને પરમતત્ત્વ એવા ત્રણ તત્ત્વસ્વરૂપોમાંથી પરમતત્ત્વસ્વરૂપ છે.
૩. ચૂડામણિ = શિખામણિ; કલગીનું રત્ન; ટોચ ઉપરનું રત્ન.