निरन्तराखंडितपरमतपश्चरणनिरतसर्वसाधुस्वरूपाख्यानमेतत् ।
ये महान्तः परमसंयमिनः त्रिकालनिरावरणनिरंजनपरमपंचमभावभावनापरिणताः अत एव समस्तबाह्यव्यापारविप्रमुक्ताः । ज्ञानदर्शनचारित्रपरमतपश्चरणाभिधानचतुर्विधा- राधनासदानुरक्ताः । बाह्याभ्यन्तरसमस्तपरिग्रहाग्रहविनिर्मुक्त त्वान्निर्ग्रन्थाः । सदा निरञ्जन-
[શ્લોકાર્થઃ — ] રત્નત્રયમય, શુદ્ધ, ભવ્યકમળના સૂર્ય અને (જિનકથિત પદાર્થોના) ઉપદેશક – એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીફરીને વંદું છું. ૧૦૫.
અન્વયાર્થઃ — [व्यापारविप्रमुक्ताः] વ્યાપારથી વિમુક્ત ( – સમસ્ત વ્યાપાર રહિત), [चतुर्विधाराधनासदारक्ताः] ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, [निर्ग्रन्थाः] નિર્ગ્રંથ અને [निर्मोहाः] નિર્મોહ; — [ईद्रशाः] આવા, [साधवः] સાધુઓ [भवन्ति] હોય છે.
ટીકાઃ — આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત ( – લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે.
[સાધુઓ કેવા હોય છે?] (૧) પરમસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્યવ્યાપારથી વિમુક્ત; (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્ત; (૩) બાહ્ય-અભ્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિર્ગ્રંથ; તથા (૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યક્ શ્રદ્ધાન,