निजकारणसमयसारस्वरूपसम्यक्श्रद्धानपरिज्ञानाचरणप्रतिपक्षमिथ्यादर्शनज्ञानचारित्राभावान्नि- र्मोहाः च । इत्थंभूतपरमनिर्वाणसीमंतिनीचारुसीमंतसीमाशोभामसृणघुसृणरजःपुंजपिंजरित- वर्णालंकारावलोकनकौतूहलबुद्धयोऽपि ते सर्वेऽपि साधवः इति ।
સમ્યક્ પરિજ્ઞાન અને સમ્યક્ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ; — આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર સેંથીની શોભારૂપ કોમળ કેસરના રજ-પુંજના સુવર્ણરંગી અલંકારને (કેસર-રજની કનકરંગી શોભાને) અવલોકવામાં કૌતૂહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત્ પૂર્વોક્ત લક્ષણવાળા, મુક્તિસુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુઓ હોય છે).
[હવે ૭૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વ સંગના સંબંધથી જે મુક્ત છે, એવું તે સાધુનું મન અમને વંદ્ય છે. હે સાધુ! તે મનને શીઘ્ર નિજાત્મામાં મગ્ન કરો. ૧૦૬.
અન્વયાર્થઃ — [ईद्रग्भावनायाम्] આવી (પૂર્વોક્ત) ભાવનામાં [व्यवहारनयस्य] વ્યવહારનયના અભિપ્રાયે [चारित्रम्] ચારિત્ર [भवति] છે; [निश्चयनयस्य] નિશ્ચયનયના અભિપ્રાયે [चरणम्] ચારિત્ર [एतदूर्ध्वम्] આના પછી [प्रवक्ष्यामि] કહીશ.
૧૪૪ ]