Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 157 of 380
PDF/HTML Page 186 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૭

अत्रात्माराधनायां वर्तमानस्य जन्तोरेव प्रतिक्रमणस्वरूपमुक्त म्

यस्तु परमतत्त्वज्ञानी जीवः निरन्तराभिमुखतया ह्यत्रुटयत्परिणामसंतत्या साक्षात स्वभावस्थितावात्माराधनायां वर्तते अयं निरपराधः विगतात्माराधनः सापराधः, अत एव निरवशेषेण विराधनं मुक्त्वा विगतो राधो यस्य परिणामस्य स विराधनः यस्मान्निश्चयप्रतिक्रमणमयः स जीवस्तत एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते

तथा चोक्तं समयसारे

‘‘संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयट्ठं
अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो ।।’’

उक्तं हि समयसारव्याख्यायां च છોડીને [आराधनायां] આરાધનામાં [वर्तते] વર્તે છે, [सः] તે (જીવ) [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते] કહેવાય છે, [यस्मात्] કારણ કે તે [प्रतिक्रमणमयः भवेत्] પ્રતિક્રમણમય છે.

ટીકાઃઅહીં આત્માની આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.

જે પરમતત્ત્વજ્ઞાની જીવ નિરંતર અભિમુખપણે (આત્મસંમુખપણે) અતૂટ (ધારાવાહી) પરિણામસંતતિ વડે સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાંઆત્માની આરાધનામાંવર્તે છે તે નિરપરાધ છે. જે આત્માના આરાધન રહિત છે તે સાપરાધ છે; તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીનેએમ કહ્યું છે. જે પરિણામ ‘વિગતરાધ’ અર્થાત*રાધ રહિત છે તે વિરાધન છે. તે (વિરાધન વિનાનો-નિરપરાધ) જીવ નિશ્ચયપ્રતિક્રમણમય છે, તેથી જ તેને પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે.

એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૦૪મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[ગાથાર્થઃ] સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિતએ શબ્દો એકાર્થ છે; જે આત્મા ‘અપગતરાધ’ અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.’’

શ્રી સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં પણ (૧૮૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

*રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા; સિદ્ધિ; પૂર્ણતા; સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.