अत्र निश्चयचरणात्मकस्य परमोपेक्षासंयमधरस्य निश्चयप्रतिक्रमणस्वरूपं च भवतीत्युक्त म् ।
नियतं परमोपेक्षासंयमिनः शुद्धात्माराधनाव्यतिरिक्त : सर्वोऽप्यनाचारः, अत एव सर्वमनाचारं मुक्त्वा ह्याचारे सहजचिद्विलासलक्षणनिरंजने निजपरमात्मतत्त्वभावना- स्वरूपे यः सहजवैराग्यभावनापरिणतः स्थिरभावं करोति, स परमतपोधन एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात् परमसमरसीभावनापरिणतः सहजनिश्चयप्रतिक्रमणमयो भवतीति ।
અન્વયાર્થઃ — [यः तु] જે (જીવ) [अनाचारं] અનાચાર [मुक्त्वा] છોડીને [आचारे] આચારમાં [स्थिरभावम्] સ્થિરભાવ [करोति] કરે છે, [सः] તે (જીવ) [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते] કહેવાય છે, [यस्मात्] કારણ કે તે [प्रतिक्रमणमयः भवेत्] પ્રતિક્રમણમય છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) નિશ્ચયચરણાત્મક પરમોપેક્ષાસંયમના ધરનારને નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.
નિયમથી પરમોપેક્ષાસંયમવાળાને શુદ્ધ આત્માની આરાધના સિવાયનું બધુંય અનાચાર છે; તેથી જ સઘળો અનાચાર છોડીને સહજચિદ્દવિલાસલક્ષણ નિરંજન નિજ પરમાત્મતત્ત્વની ભાવનાસ્વરૂપ *આચારમાં જે (પરમ તપોધન) સહજવૈરાગ્ય- ભાવનારૂપે પરિણમ્યો થકો સ્થિરભાવ કરે છે, તે પરમ તપોધન જ પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તે પરમ સમરસીભાવનારૂપે પરિણમ્યો થકો સહજ નિશ્ચય- પ્રતિક્રમણમય છે.
[હવે આ ૮૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]
*સહજચૈતન્યવિલાસાત્મક નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને ભાવવું – અનુભવવું તે જ આચારનું સ્વરૂપ છે; એવા આચારમાં જે પરમ તપોધન સ્થિરતા કરે છે તે પોતે જ પ્રતિક્રમણ છે.