Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 161 of 380
PDF/HTML Page 190 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૧
उन्मार्गं परित्यज्य जिनमार्गे यस्तु करोति स्थिरभावम्
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात।।८६।।

अत्र उन्मार्गपरित्यागः सर्वज्ञवीतरागमार्गस्वीकारश्चोक्त :

यस्तु शंकाकांक्षाविचिकित्साऽन्यद्रष्टिप्रशंसासंस्तवमलकलंकपंकनिर्मुक्त : शुद्ध- निश्चयसद्दृष्टिः बुद्धादिप्रणीतमिथ्यादर्शनज्ञानचारित्रात्मकं मार्गाभासमुन्मार्गं परित्यज्य व्यवहारेण महादेवाधिदेवपरमेश्वरसर्वज्ञवीतरागमार्गे पंचमहाव्रतपंचसमितित्रिगुप्तिपंचेन्द्रियनिरोध- षडावश्यकाद्यष्टाविंशतिमूलगुणात्मके स्थिरपरिणामं करोति, शुद्धनिश्चयनयेन सहज- बोधादिशुद्धगुणालंकृते सहजपरमचित्सामान्यविशेषभासिनि निजपरमात्मद्रव्ये स्थिरभावं शुद्धचारित्रमयं करोति, स मुनिर्निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मान्निश्चयप्रतिक्रमणं

અન્વયાર્થઃ[यः तु] જે (જીવ) [उन्मार्गं] ઉન્માર્ગને [परित्यज्य] પરિત્યાગીને [जिनमार्गे] જિનમાર્ગમાં [स्थिरभावम्] સ્થિરભાવ [करोति] કરે છે, [सः] તે (જીવ) [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते] કહેવાય છે, [यस्मात] કારણ કે તે [प्रतिक्रमणमयः भवेत] પ્રતિક્રમણમય છે. ટીકાઃઅહીં ઉન્માર્ગનો પરિત્યાગ અને સર્વજ્ઞવીતરાગ-માર્ગનો સ્વીકાર વર્ણવવામાં આવેલ છે.

જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદ્રષ્ટિપ્રશંસા અને *અન્યદ્રષ્ટિસંસ્તવરૂપ મળકલંકપંકથી વિમુક્ત (મળકલંકરૂપી કાદવથી રહિત) શુદ્ધનિશ્ચયસમ્યગ્દ્રષ્ટિ (જીવ) બુદ્ધાદિપ્રણીત મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ ઉન્માર્ગને પરિત્યાગીને, વ્યવહારે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક ઇત્યાદિ અઠ્યાવીશ મૂળગુણસ્વરૂપ મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ કરે છે, અને શુદ્ધનિશ્ચયનયે સહજજ્ઞાનાદિ શુદ્ધગુણોથી અલંકૃત, સહજ પરમ ચૈતન્યસામાન્ય અને (સહજ પરમ) ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજ પરમાત્મદ્રવ્યમાં શુદ્ધચારિત્રમય સ્થિરભાવ કરે છે, (અર્થાત્ જે શુદ્ધનિશ્ચય-સમ્યગ્દ્રષ્ટિ જીવ વ્યવહારે અઠ્યાવીશ મૂળગુણાત્મક માર્ગમાં અને નિશ્ચયે શુદ્ધ ગુણોથી શોભિત દર્શનજ્ઞાનાત્મક પરમાત્મદ્રવ્યમાં સ્થિર

*અન્યદ્રષ્ટિસંસ્તવ = (૧) મિથ્યાદ્રષ્ટિનો પરિચય; (૨) મિથ્યાદ્રષ્ટિની સ્તુતિ. (મનથી મિથ્યાદ્રષ્ટિનો
મહિમા કરવો તે અન્યદ્રષ્ટિપ્રશંસા છે અને મિથ્યાદ્રષ્ટિના મહિમાનાં વચનો બોલવાં તે
અન્યદ્રષ્ટિસંસ્તવ છે.)