इह हि निःशल्यभावपरिणतमहातपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्त : ।
निश्चयतो निःशल्यस्वरूपस्य परमात्मनस्तावद् व्यवहारनयबलेन कर्मपंकयुक्त त्वात्
निदानमायामिथ्याशल्यत्रयं विद्यत इत्युपचारतः । अत एव शल्यत्रयं परित्यज्य परम-
निःशल्यस्वरूपे तिष्ठति यो हि परमयोगी स निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात्
स्वरूपगतवास्तवप्रतिक्रमणमस्त्येवेति ।
છે અને સર્વ સંકલ્પોથી મુક્ત છે, તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય? (અવશ્ય થાય જ.) ૧૧૫.
અન્વયાર્થઃ — [यः तु साधुः] જે સાધુ [शल्यभावं] શલ્યભાવ [मुक्त्वा] છોડીને [निःशल्ये] નિઃશલ્યભાવે [परिणमति] પરિણમે છે, [सः] તે (સાધુ) [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते] કહેવાય છે, [यस्मात्] કારણ કે તે [प्रतिक्रमणमयः भवेत्] પ્રતિક્રમણમય છે.
ટીકાઃ — અહીં નિઃશલ્યભાવે પરિણત મહાતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.
પ્રથમ તો, નિશ્ચયથી નિઃશલ્યસ્વરૂપ પરમાત્માને, વ્યવહારનયના બળે કર્મપંકથી યુક્તપણું હોવાને લીધે ( – વ્યવહારનયે કર્મરૂપી કાદવ સાથે સંબંધ હોવાને લીધે) ‘તેને નિદાન, માયા અને મિથ્યાત્વરૂપી ત્રણ શલ્યો વર્તે છે’ એમ ઉપચારથી કહેવાય છે. આમ હોવાથી જ ત્રણ શલ્યો પરિત્યાગીને જે પરમ યોગી પરમ નિઃશલ્ય સ્વરૂપમાં રહે છે તેને નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે તેને સ્વરૂપગત ( – નિજ સ્વરૂપ સાથે સંબંધવાળું) વાસ્તવિક પ્રતિક્રમણ છે જ.
[હવે આ ૮૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]