भवभ्रमणकारणं स्मरशराग्निदग्धं मुहुः ।
भज त्वमलिनं यते प्रबलसंसृतेर्भीतितः ।।११७।।
[શ્લોકાર્થઃ — ] ત્રણ શલ્યને પરિત્યાગી, નિઃશલ્ય પરમાત્મામાં સ્થિત રહી, વિદ્વાને સદા શુદ્ધ આત્માને સ્ફુટપણે ભાવવો. ૧૧૬.
[શ્લોકાર્થઃ — ] હે યતિ! જે (ચિત્ત) ભવભ્રમણનું કારણ છે અને વારંવાર કામબાણના અગ્નિથી દગ્ધ છે — એવા કષાયક્લેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ; જે વિધિવશાત્ ( – કર્મવશપણાને લીધે) અપ્રાપ્ત છે એવા નિર્મળ *સ્વભાવનિયત સુખને તું પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ. ૧૧૭.
અન્વયાર્થઃ — [यः साधुः] જે સાધુ [अगुप्तिभावं] અગુપ્તિભાવ [त्यक्त्वा] તજીને [त्रिगुप्तिगुप्तः भवेत्] ત્રિગુપ્તિગુપ્ત રહે છે, [सः] તે (સાધુ) [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते] કહેવાય છે, [यस्मात्] કારણ કે તે [प्रतिक्रमणमयः भवेत्] પ્રતિક્રમણમય છે.
૧૬૪ ]
*સ્વભાવનિયત = સ્વભાવમાં નિશ્ચિત રહેલ; સ્વભાવમાં નિયમથી રહેલ.