त्रिगुप्तिगुप्तलक्षणपरमतपोधनस्य निश्चयचारित्राख्यानमेतत् ।
यः परमतपश्चरणसरःसरसिरुहाकरचंडचंडरश्मिरत्यासन्नभव्यो मुनीश्वरः बाह्यप्रपंचरूपम् अगुप्तिभावं त्यक्त्वा त्रिगुप्तिगुप्तनिर्विकल्पपरमसमाधिलक्षणलक्षितम् अत्यपूर्वमात्मानं ध्यायति, यस्मात् प्रतिक्रमणमयः परमसंयमी अत एव स च निश्चयप्रतिक्रमणस्वरूपो भवतीति ।
सहजपरमां गुप्तिं संज्ञानपुंजमयीमिमाम् ।
भवति विशदं शीलं तस्य त्रिगुप्तिमयस्य तत् ।।११८।।
ટીકાઃ — ત્રિગુપ્તિગુપ્તપણું ( – ત્રણ ગુપ્તિ વડે ગુપ્તપણું) જેનું લક્ષણ છે એવા પરમ તપોધનને નિશ્ચયચારિત્ર હોવાનું આ કથન છે.
પરમ તપશ્ચરણરૂપી સરોવરના કમળસમૂહ માટે પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિ- આસન્નભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિભાવ તજીને, ત્રિગુપ્તિગુપ્ત-નિર્વિકલ્પ- પરમસમાધિલક્ષણથી લક્ષિત અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તે મુનીશ્વર પ્રતિક્રમણમય પરમસંયમી હોવાથી જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.
[હવે આ ૮૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] મન-વચન-કાયની વિકૃતિને સદા તજીને, ભવ્ય મુનિ સમ્યગ્જ્ઞાનના પુંજમયી આ સહજ પરમ ગુપ્તિને શુદ્ધાત્માની ભાવના સહિત ઉત્કૃષ્ટપણે ભજો. ત્રિગુપ્તિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે. ૧૧૮.
અન્વયાર્થઃ — [यः] જે (જીવ) [आर्तरौद्रं ध्यानं] આર્ત અને રૌદ્ર ધ્યાન [मुक्त्वा]