व्यक्तं सदाशिवमये परमात्मतत्त्वे ।
स्तत्त्वं जिनेन्द्र तदहो महदिन्द्रजालम् ।।११9।।
मुक्तं विकल्पनिकरैरखिलैः समन्तात् ।
ध्यानावली कथय सा कथमत्र जाता ।।१२०।।
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જે ધ્યાન નિષ્ક્રિય છે, ઇન્દ્રિયાતીત છે, ધ્યાનધ્યેયવિવર્જિત (અર્થાત્ ધ્યાન ને ધ્યેયના વિકલ્પો રહિત) છે અને અંતર્મુખ છે, તે ધ્યાનને યોગીઓ શુક્લધ્યાન કહે છે.’’
[હવે આ ૮૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] પ્રગટપણે સદાશિવમય ( – નિરંતર કલ્યાણમય) એવા પરમાત્મતત્ત્વને વિષે *ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી. ‘તે છે (અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં છે)’ એમ (માત્ર) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હે જિનેંદ્ર! આવું તે તત્ત્વ ( – તેં નય દ્વારા કહેલું વસ્તુસ્વરૂપ), અહો! મહા ઇન્દ્રજાળ છે. ૧૧૯.
[શ્લોકાર્થઃ — ] સમ્યગ્જ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પ- સમૂહોથી સર્વતઃ મુક્ત ( – સર્વ તરફથી રહિત) છે. (આમ) સર્વનયસમૂહ સંબંધી આ પ્રપંચ
*ધ્યાનાવલિ = ધ્યાનપંક્તિ; ધ્યાનપરંપરા.