त्यक्त्वा । त्रिकालनिरावरणनित्यानंदैकलक्षणनिरंजननिजपरमपारिणामिकभावात्मककारण- परमात्मा ह्यात्मा, तत्स्वरूपश्रद्धानपरिज्ञानाचरणस्वरूपं हि निश्चयरत्नत्रयम्; एवं भगवत्पर- मात्मसुखाभिलाषी यः परमपुरुषार्थपरायणः शुद्धरत्नत्रयात्मकम् आत्मानं भावयति स परमतपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्त : ।
रत्नत्रयं च मतिमान्निजतत्त्ववेदी ।
श्रद्धानमन्यदपरं चरणं प्रपेदे ।।१२२।।
શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનના રૂપથી વિમુખપણું તે જ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક (મિથ્યા) રત્નત્રય છે; — આને પણ (નિરવશેષપણે) છોડીને. ત્રિકાળ-નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવો, નિરંજન નિજ પરમપારિણામિકભાવસ્વરૂપ કારણપરમાત્મા તે આત્મા છે; તેના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણનું રૂપ તે ખરેખર નિશ્ચયરત્નત્રય છે; — આમ ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી એવો જે પરમપુરુષાર્થપરાયણ (પરમ તપોધન) શુદ્ધરત્નત્રયાત્મક આત્માને ભાવે છે, તે પરમ તપોધનને જ (શાસ્ત્રમાં) નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહ્યો છે.
[હવે આ ૯૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] સમસ્ત વિભાવને તથા વ્યવહારમાર્ગના રત્નત્રયને છોડીને નિજ- તત્ત્વવેદી (નિજ આત્મતત્ત્વને જાણનાર – અનુભવનાર) મતિમાન પુરુષ શુદ્ધ આત્મતત્ત્વમાં નિયત ( – શુદ્ધાત્મતત્ત્વપરાયણ) એવું જે એક નિજજ્ઞાન, બીજું શ્રદ્ધાન અને વળી બીજું ચારિત્ર તેનો આશ્રય કરે છે. ૧૨૨.