तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् ।
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः ।।’’
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૦૬મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] ૧પ્રતિક્રમણ, ૨પ્રતિસરણ, ૩પરિહાર, ૪ધારણા, ૫નિવૃત્તિ, ૬નિંદા,
વળી એવી રીતે શ્રી સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં (૧૮૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] (અરે! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય.) તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? નિષ્પ્રમાદી થયા થકા ઊંચે ઊંચે કાં ચડતા નથી?’’
૭ગર્હા અને ૮શુદ્ધિ — એ આઠ પ્રકારનો વિષકુંભ છે.’’
૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે
૨. પ્રતિસરણ = સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા
૩. પરિહાર = મિથ્યાત્વરાગાદિ દોષોનું નિવારણ
૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને સ્થિર કરવું તે
૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે
૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે
૭. ગર્હા = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે
૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે