निश्चयनयप्रत्याख्यानस्वरूपाख्यानमेतत् ।
अत्र व्यवहारनयादेशात् मुनयो भुक्त्वा दैनं दैनं पुनर्योग्यकालपर्यन्तं प्रत्यादिष्टान्नपानखाद्यलेह्यरुचयः, एतद् व्यवहारप्रत्याख्यानस्वरूपम् । निश्चयनयतः प्रशस्ता- प्रशस्तसमस्तवचनरचनाप्रपंचपरिहारेण शुद्धज्ञानभावनासेवाप्रसादादभिनवशुभाशुभद्रव्यभाव- कर्मणां संवरः प्रत्याख्यानम् । यः सदान्तर्मुखपरिणत्या परमकलाधारमत्यपूर्वमात्मानं ध्यायति तस्य नित्यं प्रत्याख्यानं भवतीति ।
तथा चोक्तं समयसारे —
જે [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [तस्य] તેને [प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન [भवेत्] છે.
ટીકાઃ — આ, નિશ્ચયનયના પ્રત્યાખ્યાનના સ્વરૂપનું કથન છે.
અહીં એમ કહ્યું છે કે — વ્યવહારનયના કથનથી, મુનિઓ દિને દિને ભોજન કરીને પછી યોગ્ય કાળ પર્યંત અન્ન, પાન, ખાદ્ય અને લેહ્યની રુચિ છોડે છે; આ વ્યવહાર-પ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. નિશ્ચયનયથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાના દ્રવ્યકર્મોનો તેમ જ ભાવકર્મોનો સંવર થવો તે પ્રત્યાખ્યાન છે. જે સદા અંતર્મુખ પરિણમનથી પરમ કળાના આધારરૂપ અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તેને નિત્ય પ્રત્યાખ્યાન છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૪મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] ‘પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે’ એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે — ત્યાગે છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે (અર્થાત્ પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે) એમ નિયમથી જાણવું.’’
*પ્રપંચના પરિહાર વડે શુદ્ધજ્ઞાનભાવનાની સેવાના પ્રસાદ દ્વારા જે નવાં શુભાશુભ
*પ્રપંચ = વિસ્તાર. (અનેક પ્રકારની સમસ્ત વચનરચનાને છોડીને શુદ્ધ જ્ઞાનને ભાવવાથી — તે ભાવનાના સેવનની કૃપાથી — ભાવકર્મોનો અને દ્રવ્યકર્મોનો સંવર થાય છે.)