अत्र सकलविभावसंन्यासविधिः प्रोक्त : ।
कमनीयकामिनीकांचनप्रभृतिसमस्तपरद्रव्यगुणपर्यायेषु ममकारं संत्यजामि । परमो- पेक्षालक्षणलक्षिते निर्ममकारात्मनि आत्मनि स्थित्वा ह्यात्मानमवलम्ब्य च संसृति- पुरंध्रिकासंभोगसंभवसुखदुःखाद्यनेकविभावपरिणतिं परिहरामि ।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः —
અન્વયાર્થઃ — [ममत्वं] હું મમત્વને [परिवर्जयामि] પરિવર્જું છું અને [निर्ममत्वम्] નિર્મમત્વમાં [उपस्थितः] સ્થિત રહું છું; [आत्मा] આત્મા [मे] મારું [आलम्बनं च] આલંબન છે [अवशेषं च] અને બાકીનું [विसृजामि] હું તજું છું.
ટીકાઃ — અહીં સકળ વિભાવના સંન્યાસની ( – ત્યાગની) વિધિ કહી છે.
સુંદર કામિની, ૧કાંચન વગેરે સમસ્ત પરદ્રવ્ય-ગુણ-પર્યાયો પ્રત્યે મમકારને હું તજું છું. પરમોપેક્ષાલક્ષણથી લક્ષિત ૨નિર્મમકારાત્મક આત્મામાં સ્થિત રહીને અને આત્માને અવલંબીને, ૩સંસૃતિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન સુખદુઃખાદિ અનેક વિભાવરૂપ પરિણતિને હું પરિહરું છું.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૦૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
૧. કાંચન = સુવર્ણ; ધન.
૨. નિર્મમકારાત્મક = નિર્મમત્વમય; નિર્મમત્વસ્વરૂપ. (નિર્મમત્વનું લક્ષણ પરમ ઉપેક્ષા છે.)
૩. સંસૃતિ = સંસાર.