परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभस्य शुद्धोपयोगेऽपि च स परमात्मा सनातनस्वभाव-
त्वात्तिष्ठति ।
માટે પાવક સમાન જે હું તેના શુભાશુભસંવરમાં (તે પરમાત્મા છે), તથા અશુભોપયોગથી પરાઙ્મુખ, શુભોપયોગ પ્રત્યે પણ ઉદાસીનતાવાળો અને સાક્ષાત્ શુદ્ધોપયોગની સંમુખ જે હું — પરમાગમરૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ — તેના શુદ્ધોપયોગમાં પણ તે પરમાત્મા રહેલો છે કારણ કે તે (પરમાત્મા) સનાતન સ્વભાવવાળો છે.
એવી રીતે એકત્વસપ્તતિમાં ( – શ્રી પદ્મનંદી-આચાર્યવરકૃત પદ્મનંદિપંચવિંશતિકાના એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૩૯, ૪૦ ને ૪૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] તે જ એક ( – તે ચૈતન્યજ્યોતિ જ એક) પરમ જ્ઞાન છે, તે જ એક પવિત્ર દર્શન છે, તે જ એક ચારિત્ર છે અને તે જ એક નિર્મળ તપ છે.
[શ્લોકાર્થઃ — ] સત્પુરુષોને તે જ એક નમસ્કારયોગ્ય છે, તે જ એક મંગળ છે, તે જ એક ઉત્તમ છે અને તે જ એક શરણ છે.
[શ્લોકાર્થઃ — ] અપ્રમત્ત યોગીને તે જ એક આચાર છે, તે જ એક આવશ્યક ક્રિયા છે અને તે જ એક સ્વાધ્યાય છે.’’
૧૯૦ ]