भोक्तुं स्वयं स्वकृतकर्मफलानुबन्धम् ।
स्वाजीवनाय मिलितं विटपेटकं ते ।।’’
कर्मद्वन्द्वोद्भवफलमयं चारुसौख्यं च दुःखम् ।
देकं तत्त्वं किमपि गुरुतः प्राप्य तिष्ठत्यमुष्मिन् ।।१३७।।
‘‘[શ્લોકાર્થઃ — ] આત્મા સ્વયં કર્મ કરે છે, સ્વયં તેનું ફળ ભોગવે છે, સ્વયં સંસારમાં ભમે છે અને સ્વયં સંસારથી મુક્ત થાય છે.’’
વળી શ્રી સોમદેવપંડિતદેવે (યશસ્તિલકચંપૂકાવ્યમાં બીજા અધિકારની અંદર એકત્વાનુપ્રેક્ષા વર્ણવતાં ૧૧૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] પોતે કરેલા કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમ જ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ (સ્ત્રીપુત્રમિત્રાદિક) સુખદુઃખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી; પોતાની આજીવિકા માટે (માત્ર પોતાના સ્વાર્થ માટે સ્ત્રીપુત્રમિત્રાદિક) ધુતારાઓની ટોળી તને મળી છે.’’
વળી (આ ૧૦૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જીવ એકલો પ્રબળ દુષ્કૃતથી જન્મ અને મૃત્યુને પામે છે; જીવ એકલો સદા તીવ્ર મોહને લીધે સ્વસુખથી વિમુખ થયો થકો કર્મદ્વંદ્વજનિત ફળમય ( – શુભ