Niyamsar (Gujarati). Gatha: 102.

< Previous Page   Next Page >


Page 194 of 380
PDF/HTML Page 223 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एगो मे सासदो अप्पा णाणदंसणलक्खणो
सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ।।१०२।।
एको मे शाश्वत आत्मा ज्ञानदर्शनलक्षणः
शेषा मे बाह्या भावाः सर्वे संयोगलक्षणाः ।।१०२।।

एकत्वभावनापरिणतस्य सम्यग्ज्ञानिनो लक्षणकथनमिदम्

अखिलसंसृतिनन्दनतरुमूलालवालांभःपूरपरिपूर्णप्रणालिकावत्संस्थितकलेवरसंभवहेतु- भूतद्रव्यभावकर्माभावादेकः, स एव निखिलक्रियाकांडाडंबरविविधविकल्पकोला- हलनिर्मुक्त सहजशुद्धज्ञानचेतनामतीन्द्रियं भुंजानः सन् शाश्वतो भूत्वा ममोपादेय- रूपेण तिष्ठति, यस्त्रिकालनिरुपाधिस्वभावत्वात् निरावरणज्ञानदर्शनलक्षणलक्षितः कारणपरमात्मा; ये शुभाशुभकर्मसंयोगसंभवाः शेषा बाह्याभ्यन्तरपरिग्रहाः, स्वस्वरूपा-


અને અશુભ કર્મનાં ફળરૂપ) સુંદર સુખ અને દુઃખને વારંવાર ભોગવે છે; જીવ એકલો ગુરુ દ્વારા કોઈ એવા એક તત્ત્વને (અવર્ણનીય પરમ ચૈતન્યતત્ત્વને) પામીને તેમાં સ્થિત રહે છે. ૧૩૭.

મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨.

અન્વયાર્થઃ[ज्ञानदर्शनलक्षणः] જ્ઞાનદર્શનલક્ષણવાળો [शाश्वतः] શાશ્વત [एकः] એક [आत्मा] આત્મા [मे] મારો છે; [शेषाः सर्वे] બાકીના બધા [संयोगलक्षणाः भावाः] સંયોગલક્ષણવાળા ભાવો [मे बाह्याः] મારાથી બાહ્ય છે.

ટીકાઃએકત્વભાવનારૂપે પરિણમેલા સમ્યગ્જ્ઞાનીના લક્ષણનું આ કથન છે.

ત્રણે કાળે નિરુપાધિક સ્વભાવવાળો હોવાથી નિરાવરણ-જ્ઞાનદર્શનલક્ષણથી લક્ષિત એવો જે કારણપરમાત્મા તે, સમસ્ત સંસારરૂપી નંદનવનનાં વૃક્ષોના મૂળ ફરતા ક્યારાઓમાં પાણી ભરવા માટે જળપ્રવાહથી પરિપૂર્ણ ધોરિયા સમાન વર્તતું જે શરીર તેની ઉત્પત્તિમાં હેતુભૂત દ્રવ્યકર્મ-ભાવકર્મ વિનાનો હોવાથી એક છે, અને તે જ (કારણપરમાત્મા) સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિવિધ વિકલ્પરૂપ કોલાહલથી રહિત સહજશુદ્ધ-જ્ઞાનચેતનાને અતીંદ્રિયપણે ભોગવતો થકો શાશ્વત રહીને મારા માટે ઉપાદેયપણે

૧૯૪ ]